________________
દંડનાયક વિમલની આંતરસૃષ્ટિમાં આવા આવા અનેક વિચારો કલાકોના કલાકો સુધી ઘૂમતા રહ્યા. આ વિચારસૃષ્ટિ એટલી બધી સોહામણી હતી કે, ઊંઘને પણ ભૂલી જઈને આખી રાત સુધી દંડનાયક વિમલ એ સહેલગાહ માણી રહ્યા ! સવારનાં કામકાજ પતાવીને, શ્રી ધર્મઘોષસૂરિજી પાસે પહોંચી જઈને માર્ગદર્શન મેળવવાનાં મનોરથને સફળ બનાવવા, એઓ સમયસર ઉપાશ્રયે પહોંચી ગયા. પ્રવચન-શ્રવણ પછી એકાંત મેળવીને એમણે કહ્યું :
“ભગવંત ! આપે તો મને આબુનું ખરું આકર્ષણ પેદા કરી દીધું ! એથી મારી આખી રાત આબુનાં સ્વપ્નો જોતાં જોતાં જ વીતી ગઈ ! એથી તીર્થસર્જનનું કાર્ય કેટલું કપરું છે? આમાં શક્તિ કરતાં ભક્તિની મૂડી કેટલા બધા મોટા પ્રમાણમાં જરૂરી છે? તેમજ ત્યાંનું વાતાવરણ આ કાર્ય માટે કેટલું વિપરીત છે? આ બધાનો પૂરો તાગ પામી શક્યા પછી પણ મારો ઉત્સાહ ઓસર્યો નથી.”
સૂરિભગવંતે આ સાંભળીને સસ્મિત કહ્યું : મનસ્વી પુરુષોની આ જ વિશેષતા હોય છે. માયકાંગલા માણસો કાર્યની વિકટતા જાણીને
જ્યાં પાણીમાં બેસી જતા હોય છે, ત્યાં મનસ્વી પુરુષો કાર્યની વિકટતા જાણીને વધુ ઉત્સાહ અને વધુ તાકાતને કામે લગાડીને કાર્યસિદ્ધિ માટે કટિબદ્ધ બનતા હોય છે. આબુનું વાતાવરણ આવું જ છે, અરે ! તમે કલ્પના કરી, એથીય એ વિકટતા વધુ હોવાની સંભાવના છે. વળી આ ગિરિ-ટોચ એટલી બધી ઊંચી છે કે, ત્યાં ઘાટ કરતાં ઘડામણ મોંઘી ! આ કહેવતનો તો પગલે પગલે અનુભવ થાય એવું છે. પણ તમારી પાસે તો ભક્તિની મોટી શક્તિ છે ! એથી આવી વિકટ વાટને પણ સપાટ બનવાની ફરજ પાડતી, કોઈ અદશ્ય સહાય તમને મળ્યા વિના નહિ જ રહે !
અદશ્ય શક્તિની વાત આવતાં જ દંડનાયક વિમલે આજ સુધી જે વાત ઘર સિવાય કોઈને જણાવી ન હતી, એને ખુલ્લી કરતાં કહ્યું કે, ભગવંત ! અંબિકાદેવીની થોડીઘણી પ્રસન્નતાનું પાત્ર બનવાની મંત્રીશ્વર વિમલ તો ૧૦૩