________________
ભક્તિની ભાગોળે શક્તિ ત્રિવેણીનું અવતરણ
૧૧
વીણાના તાર તૂટી જાય, પછી પણ ઘણી ઘણી વાર સુધી એનો ગુંજારવ ચાલુ રહેતો હોય છે ! ઘંટ વગાડ્યા બાદ પણ એનો નાદ લાંબા સમય સુધી ગુંજિત રહેતો હોય છે અને આના શ્રવણની મજા વળી ઓર જ હોય છે !
દંડનાયક વિમલ આવી ધન્ય અનુભૂતિ માણી રહ્યા હતા. પૂ. આ. શ્રી ધર્મઘોષસૂરિજીના મંગલ-મુખે શ્રી અર્બુદાચલનો જૈન-મહિમા સાંભળ્યા પછી તો એમના અંતરનું આબુ પ્રત્યેનું આકર્ષણ કેઈ ગણું વધવા પામ્યું હતું. આબુનું માત્ર નામ જ સાંભળ્યું