________________
વલણના ચમકારા આગળ જૂના જૂના મંત્રીઓ સાવ નિસ્તેજ જણાવા માંડ્યા. દંડનાયકનું પદ મળ્યા પછી પણ વિમલે જૈનધર્મની ધર્મપ્રવૃત્તિઓમાં પહેલાની જેમ જ ભાગ લેવાનું ચાલુ રાખ્યું હતું. ધર્માનુષ્ઠાનોમાં એમની હાજરી રહેતી, શાસનપ્રભાવક પૂ. આચાર્યાદિ સાધુવરોની સ્વાગતયાત્રા એમની હાજરી-માત્રથી ઓર દીપી ઊઠતી. પ્રવચન સભાઓમાં જ્યારે એ નમ્રતાથી બેસતા, ત્યારે કોઈને એવો ખ્યાલ પણ ન આવતો કે, આ બંને ભાઈઓ મહામાત્ય અને દંડનાયક તરીકેની જવાબદારી અદા કરતા હશે !
એક દિવસની વાત છે. આબુ તરફના પ્રદેશમાંથી વિહાર કરીને શ્રી ધર્મઘોષસૂરિજી મહારાજા પોતાના વિશાળ મુનિ-પરિવારની સાથે પાટણમાં પધાર્યા હતા. એમની અદ્ભુત સ્વાગતયાત્રા સંઘે યોજી હતી. પ્રવચનમાં એમણે વહાવેલ ધર્મધારાનું આચમન કરીને સૌનાં અંતર આનંદથી તરબતર બની ગયાં હતાં. દંડનાયક વિમલ પણ એમાં હાજર હતા. આચાર્યદેવનું વ્યક્તિત્વ એમને અનોખી રીતે આકર્ષી રહ્યું. જાણે કે પૂર્વભવના કોઈ ઋણાનુબંધના સંબંધ જ તાજા થઈ રહ્યા હોય, એવી અનુભૂતિ પૂ.આચાર્યદવ ને દંડનાયક બંનેને થઈ રહી ! થોડા દિવસની એમની સ્થિરતામાં બંને વચ્ચે ધર્મનો ગાઢ સંબંધ બંધાઈ ગયો.
એક દિવસ પૂ. આચાર્યદેવશ્રી સાથેની વાતમાંથી એક એવી વાત નીકળી કે, એ વાતનું પ્રેરણાબીજ ભાવિમાં કોઈ વિશાળ વડલા તરીકે વિસ્તરવાના ભાગ્યલેખ સાથે દંડનાયકના દિલમાં ધરબાયું !
આબુ તરફથી પૂ. આચાર્યદવ વિહાર કરીને આવ્યા હતા, એથી એ બાજુનાં તીર્થોની ભવ્યતાની તેમજ ગામનગરોમાં રહેલાં મંદિરોનેય વરેલી તીર્થ જેવી પ્રભાવકતાની વાત એઓશ્રીએ જ્યારે દંડનાયક સમક્ષ વર્ણવી બતાવી, ત્યારે વિમલે પણ તીર્થયાત્રા જેવો અનેરો આહલાદ અનુભવ્યો. આબુનું નામ આવતાં જ એમના અંતરમાં આબુ પ્રત્યે રહેલું કોઈ અગમ્ય અને અકળ આકર્ષણ એકાએક જાગ્રત થઈને પૂછી બેઠું : મંત્રીશ્વર વિમલ 9 ૯૭