________________
બધા ઉપકારોમાંથી અમે ક્યાંથી-ક્યારે મુક્ત થઈ શકીશું ? દેહને ઘડનારી માતાઓનો ક્યાં દુકાળ છે. દિલને ઘડનારી માતાઓના કારમાં દુકાળના કાળમાં અમને તારો ભેટો થયો, એ અમારું જેવું તેવું ભાગ્ય નથી. મા ! એટલું તો અમે હરપળે યાદ રાખીશું કે, અમારા પિતા શ્રમણ છે અને અમને મળેલી માતાની સંસ્કારસમૃદ્ધિ સાથે મુકાબલો લઈ શકે, એવી માતાઓ આ પાટણમાં આંગળીના વેઢે ગણાય, એટલી સંખ્યામાં પણ મળવી સુલભ નથી ! ધર્મે આ બધું આપ્યું છે, તો આનો ધર્મમાં જેમ થાય, એમ વધુ ઉપયોગ કરવાની અમે ખાતરી આપીએ છીએ.
એ દહાડે મા-દીકરાઓનો આ ધર્માલાપ સાંભળીને વેઢની પત્ની ધનશ્રી અને વિમલની પત્ની શ્રીદેવીએ જે આનંદ અનુભવ્યો, એ નિરવધિ હતો. આવા ધર્મીઓની વચ્ચે વસવાટ મળવા બદલ એઓ પોતાની પુણ્યાઈને પ્રશંસી રહી.
મધ્યાહ્ન થવા આવ્યો હતો. એથી સૌ ભોજનકાર્ય પતાવીને બનતી ઝડપે બહારના આરામખંડમાં આવ્યા. કારણ કે વધામણી અને ખુશાલી વ્યક્ત કરવા આવી રહેલા નગરના અગ્રગણ્યોની એક લાંબી કતાર મંત્રી અને દંડનાયકની પ્રતીક્ષા કરી રહી હતી. એ કતારમાં નજીકનાદૂરના સગાથી માંડીને, આંખનીય ઓળખાણ ન હોય, એવા ઘણા ઘણા માણસો હોય, એ અસંભવિત નહોતું. તેમજ એમાં નગરશેઠ શ્રીદત્ત તેમજ લક્ષ્મીદત્ત શેઠની હાજરી તો હોય જ ને ?
આ ઘટના પર જેમ જેમ દિવસો વિતતા ગયા, એમ એમ દંડનાયક વિમલની કીર્તિ તો વધુ ને વધુ વિસ્તરતી ચાલી. એમની બાણકળાની વાતો પણ કોઈ પરીકથાની જેમ ઠેર ઠેર ગવાવા માંડી. ગુર્જરરાષ્ટ્રને આવા સબળ દંડનાયક મળ્યા, એથી ઘણાં ઘણાં શત્રુરાજ્યોના પેટમાં ખળખળતું તેલ પણ રેડાયું.
મંત્રી અને દંડનાયકે થોડા જ દિવસોમાં પોતાના બળ-કળનો પરચો બતાવીને ભીમદેવની એવી તો કૃપા મેળવી કે, એમના ચલણ
૯૬ આબુ તીર્થોદ્ધારક