SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ રથ અને પાયદળ-આ ચતુરંગી સેનાના નાયકપદે રહીને દંડનીતિપૂર્વક જે દેશનું સંચાલન કરે, એ દંડનાયક ગણાતો. એના હાથમાં રાજ્યનું વસૂલીખાતું પણ રહેતું, સર્વેસર્વા સૂબા જેવું મહત્ત્વ ધરાવતા આ પદનું સ્થાન રાજ્યમાં બીજા નંબરનું ગણાતું. રાજા પછી દંડનાયક અને ત્યારબાદ રાણા, માંડલિક, સામંત આદિનો ક્રમ રહેતો. માતા વિરમતિનું સ્વપ્ન સાકાર થયું હતું, પણ હવે એમની જવાબદારી વધતી જતી હતી, એથી મંત્રી અને દંડનાયકનું પદ ગ્રહણ કરીને બે દીકરાઓ ઘરે આવ્યા, ત્યારે એમણે હિતોપદેશ આપતાં કહ્યું : બેટાઓ ! તમારા પિતાજીની ભવિષ્યવાણી આજે અક્ષરશઃ સાચી પડી છે. પણ એથી હવે આજથી મારી અને તમારી જવાબદારી વધી જાય છે. રાજેશ્વરી એ નરકેશ્વરી આ સત્યને હરપળે નજર સામે રાખીને પછી જ કોઈ પણ પ્રવૃત્તિ કરજો. પેલી શિખામણ ભૂલતા નહિ કે, રાજકાજ એ કંઈ આ માનવજીવનનું ધ્યેય નથી. ધર્મપ્રભાવના કરવાના એક સાધન તરીકે આ માધ્યમનો જેટલો ઉપયોગ કરશો, એટલા તમે તરશો અને બીજાને તારવામાં સહાયક થઈ શકશો ! નહિ તો મરવા અને મારવાના સાધન તરીકે આનો દુરુપયોગ કરનારાઓનો તો તોટો નથી અને અધિકાર હાથમાંથી ગયા પછી તો એમના ભાગે ધિક્કાર જ વેઠવાનો રહેતો હોય છે. આ એક એવું પગથિયું છે કે, સાવધ રહેનારને એ પ્રગતિ-યાત્રામાં સહાયક થાય અને અસાવધ રહેનારને એ નીચે પટકવા માટે જરૂરી પરિબળ પૂરું પાડે ! ધર્મનો આ બધો પ્રભાવ છે. માટે આ પ્રભાવથી પ્રભાવિત બનીને ધર્મને ધક્કો મારશો, તો સ્વામીદ્રોહીમાં ખપશો અને વધુ ને વધુ ધર્મ-સેવા આદરશો, તો ધર્મસ્વામીના વફાદાર સેવક તરીકે નવે ખંડ તમારી નામના પોકારશે.” મહામંત્રી નેઢ અને દંડનાયક વિમલની આંખમાં હર્ષનાં આંસુ હતાં. ગદ્ગદ કંઠે એમણે કહ્યું : એક ધર્મમાતા તરીકેના તારા આવા મંત્રીશ્વર વિમલ ૨૦ ૯૫
SR No.006184
Book TitleAabu Tirthoddharak Mantrishwar Vimal
Original Sutra AuthorN/A
AuthorPurnachandrasuri
PublisherPanchprasthan Punyasmruti Prakashan
Publication Year2016
Total Pages306
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy