SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ (૧) છે અને છે આ જીવે ભૂતકાળમાં પુણ્ય કર્યું છે, બાંધ્યું છે અને વર્તમાનમાં પણ પુણ્ય બાંધે છે. શાસ્ત્રીય નામ પુણ્યાનુબંધી પુણ્ય. ઉદા. શાલિભદ્રજી. ૭૧ - (૨) છે અને નથી આ જીવ ભૂતકાળમાં પુણ્ય બાંધવાના કારણે વર્તમાનમાં સુખી છે પણ અત્યારે સુકૃત્ય કરતો નથી એટલે પાપ બાંધે છે. શાસ્ત્રીય નામ પાપાનુબંધી પુણ્ય. ઉદા. મમ્મણ શેઠ. - - (૩) નથી અને છે આ જીવે ભૂતકાળમાં સુકૃત્ય કર્યું નથી એટલે દુઃખી છે પણ વર્તમાનમાં સદ્ગુદ્ધિથી શક્તિ અનુસાર સુકૃત્ય કરે છે, પુણ્યનો બંધ કરે છે. શાસ્ત્રીય નામ પુણ્યાનુબંધી પાપ. ઉદા. રોહણીય ચોર. (૪) નથી અને નથી - આ જીવનો ભૂતકાળ અંધકારમય હતો અને વર્તમાન પણ અંધકારમય જ છે. સુકૃત્ય કાંઈ કર્યું નથી અને કરતો નથી. શાસ્ત્રીય નામ– પાપાનુંબંધી પાપ. ઉદા. કાળસૌરિક કસાઈ. ટૂંકમાં રાજાજી, જેના આચાર સારા તે તરી જશે ને જેના આચાર-પ્રવૃત્તિ ખરાબ તે દુ:ખી થઈ જશે, નિંદાને પાત્ર થશે. રાજા મંત્રીપુત્રીના જવાબ સાંભળી ખુશ થયો અને મંત્રીપુત્રીને સારું ઈનામ આપી રાજી કરી. પુણ્યને પ્રગટ કરવા જેમ પુરુષાર્થ અલ્પ પ્રમાણમાં પણ જોઈએ તેમ દરેક ક્રિયા માટે, તે સિદ્ધ કરવા સારા આચાર (સદાચાર) વિધિ-વિધાન જાણવા-પાળવા જોઈએ. જે સદાચારને અપનાવે તેનું કાર્ય અવશ્ય સિદ્ધ થાય જ. જ્ઞાનાચારાદિ પાંચ આચારના માટે મહાપુરુષોએ ૮+૮+૮+૧૨+૩=૩૯ આચારો બતાડ્યા છે. જ્યારે વીર્યાચાર એક એવી પ્રવૃત્તિ છે કે પૂર્વના ચારેય આચારમાં ભવ્ય પુરુષાર્થ કરવો પડે અને તો જ ઈચ્છિત કાર્ય પૂર્ણ થાય. માટે જ આચાર મન, વચન અને શરીર(કાયા) દ્વારા દ્રવ્ય-ભાવથી પાળવાનું કહ્યું છે. જે આત્મા શુદ્ધ આચાર પાળવાનો આગ્રહી-હિમાયતી હોય તેના મન, વચન, કાયા પવિત્ર હોય. બીજાના અયોગ્ય આચાર જોઈ તેની નિંદા ન કરે. તેથી જ શાસ્ત્રમાં આંધળા કે કાણાંને... હે આંધળા ! હે કાણાં ! કહેવાનો નિષેધ કર્યો છે. માત્ર તેના દુઃખમાં મદદ કરવા સારા શબ્દનો પ્રયોગ કરવા પ્રેરણા આપી છે.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy