________________
૭૦
દેવગતિ મોજમઝા આનંદરૂપે છે, તિર્યંચગતિ મધ્યમ અલ્પ સુખ વધુ દુઃખરૂપે છે. જ્યારે મનુષ્યગતિ સાધના-આરાધના રૂપે છે. મોક્ષ પ્રાપ્તિ કરવાનું અમૂલ્ય સ્થાન છે. માત્ર જીવનમાં કાંઈક કરવું છે તેવી ભાવના હોવી જોઈએ.
પુણ્યના કારણે જે કાંઈ સગવડતા આ ભવમાં પ્રાપ્ત થઈ છે, થાય છે. તે સંપૂર્ણ પુષ્ય ભોગવી લો તો ભવિષ્યમાં જરૂર દુઃખી થવું પડે, પણ જો થોડું બાકી રાખો તો ભવિષ્યમાં કામ લાગે. તેથી જ અનુભવીઓએ “કમ ખા, ગમ ખા, નમ જા' જેવા ચિંતનાત્મક વિચારો આપ્યા છે. મોક્ષનો અભિલાષી જીવ સારા-શુભકર્મ કરે, અને ક્ષણિક સુખના અભિલાષી તેવા શુભકર્મ ન કરે.
દરેક વસ્તુનો સમય હોય છે. તેની અંદર એ યોગ્ય પ્રવૃત્તિ કરે તો ભવિષ્ય સુધરી જાય. સમયને ન ઓળખે અથવા સમયને વેડફી નાખે તો પસ્તાવો કરવો પડે. તેથી જ ગુજરાતીમાં કહેવાય છે કે, લલ્લુભાઈએ ભરૂચ ગુમાવ્યું.”
શુદ્ધ આચાર ધર્મક્રિયા દ્વારા ક્રમશઃ પુણ્ય નિર્માણ થાય છે. તે વાતને પણ થોડી સમજી લઈએ.
એક જિજ્ઞાસુ રાજાએ પ્રજાની સામે રાજસભામાં ચાર પ્રશ્ન મૂક્યા. (૧) છે અને છે, (૨) છે અને નથી, (૩) નથી અને છે, (૪) નથી અને નથી. બુદ્ધિપૂર્વક જવાબ પ્રાપ્ત કરવા રાજાએ પ્રજા સમક્ષ પ્રશ્ન તો રાજસભામાં પૂછડ્યા. પ્રજા પણ બુદ્ધિશાળી હતી. મંત્રી, નગરશેઠ બધા ઘણાં જ બુદ્ધિશાળી અને સમજદાર હતા. છતાંય આ ચાર પ્રશ્નોએ બધાને વિચારમાં મૂકી દીધા. બધાને પ્રશ્નની શબ્દ રચના અધુરી-અપૂર્ણ લાગી પણ રાજાને વધારે પૂછાય નહીં એટલે બધા વતી મંત્રીએ જવાબ માટે એક દિવસની મુદત માંગી.
બીજા દિવસે મંત્રી ઘરે ચિંતામાં બેઠા હતા. કોઈ દિવસ નહિં ને આજે પિતાને ચિંતામાં બેઠેલા જોઈ મંત્રીપુત્રીએ નમ્રભાવે આગ્રહપૂર્વક પિતાને ચિંતાનું કારણ પૂછ્યું. મંત્રીએ ચિંતાનું કારણ, રાજસભામાં પૂછાયેલા પ્રશ્નો પુત્રીને કહ્યા પ્રશ્નો સાંભળી મંત્રીપુત્રીએ પિતાને આશ્વાસન આપી કહ્યું, પિતાજી ચિંતા ન કરો. એ પ્રશ્નોના જવાબ કોઈ ન આપે તો હું આપીશ.
આજે રાજા પ્રશ્નના જવાબ સાંભળવા ઉત્સાહી હતા. તેથી રાજસભામાં સમયસર આવ્યા હતા. રાજાએ બધાને પ્રશ્ન પૂછ્યો. કોઈએ જવાબ ન આપ્યો ત્યારે મંત્રીએ પુત્રીને જવાબ આપવા કહ્યું. વિવેકી મંત્રીપુત્રીએ રાજા અને પિતાની આજ્ઞા લઈ જવાબ આપ્યો.