SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર યોગ્ય પ્રવૃત્તિ અયોગ્ય પ્રવૃત્તિ નાણંમિ દંસણંમિ અ, ચરસંમિ તવંમિ તહય વિરીયંમિ ! આયરણે આયારો, ઈહ એસો પંચહા ભણિઓ / ભાવાર્થ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય, એ પ્રમાણે પાંચ આચારોને વિષે આચરવા યોગ્ય (વીર્યાચાર છોડી) આચાર. (૮+૮+૮+૧=૩૬) છે. દુઃખમ્ પાપાતું, સુખમ્ ધર્માત્” આ એક શાસ્ત્રવચન છે. ક્રિયાએ કર્મ, ઉપયોગે ધર્મ અને પરિણામે બંધ” આ ટૂંકા પણ આચાર સંબંધી ચિંતનાત્મક વાક્યો છે. જીવે ભૂતકાળમાં જે કાઈ પ્રવૃત્તિ (આચરણ) કરી હોય તેનું રીઝલ્ટ (ફળ) વર્તમાન કાળમાં ભોગવવું પડે છે. તેજ રીતે વર્તમાનમાં કરેલી (કરાતી) પ્રવૃત્તિનું ફળ ભવિષ્યમાં ભોગવવું પડશે એમ નક્કી સમજવું. તેથી યોગ્ય-પ્રશંસનીય પ્રવૃત્તિ-આચરણ જીવને શાંતિ-સમતા આપે છે. જ્યારે અયોગ્ય નિંદનીય કાર્ય અપયશ અથવા અણગમોના અનુભવ કરાવે છે. એને જ બીજા શબ્દોમાં પુણ્ય તથા પાપની અથવા સારી અને ખરાબ પ્રવૃત્તિ કહી શકાય. દરેક ધર્મની પ્રવૃત્તિમાં નિશ્ચિત આચાર જોવા મળે છે. ધર્મ કરનાર જો નિયમોને સ્વીકારે, તે અનુસાર પ્રવૃત્તિ ક્રિયા કરે તો આ ભવ અને પરભવમાં સાનુકૂળ વાતાવરણમાં જીવી શકે. સુખ પામી શકે અન્યથા મુશ્કેલી-કષ્ટનો સામનો કરવા માટે તેને તૈયાર રહેવું પડશે. યાદ રહે કે નરકગતિ સજારૂપે છે. ૬૯
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy