SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ તપ ' કર્મક્ષય માટે નિયાણા સ્વરૂપે જિનેન્દ્ર ચોદિતમસ્તદૂષણ, કષાયમુક્ત વિદધાતિ યસ્તપઃ | ન દુર્લભં તસ્ય સમસ્તવિષ્ટપે, પ્રજાયતે વસ્તુ મનોશમીણિતમ્ ભાવાર્થ જે મનુષ્ય જિનેશ્વર ભગવાન દ્વારા પ્રરૂપિત કોઈપણ તપ દૂષણ રહિત કષાય વગર કરે છે. તેને આખા સંસારમાં કોઈપણ ઈચ્છીત વસ્તુ દુર્લભ નથી. “તપ” એટલે તપાવવું - કાયાનો મોહ ઉતારી કાયાને તપાવવી, કષ્ટ આપવા, ચિકણા કર્મોને બાળવા કે ક્ષય કરવો. સર્વ સામાન્ય રીતે તપ સમતા ભાવે કરવાનું હોય છે. (તપ કરીએ સમતા રાખી ઘટમાં) વ્યવહારની દ્રષ્ટિએ તેના ત્રણ પ્રકાર જોવા મળે છે. (૧) તપ-બાંધેલા કર્મોનો ક્ષય કરવા માટે વૈરાગ્ય ભાવથી પ્રાયશ્ચિત્ત રૂપે કરાય છે. (૨) તપ-દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના ઉપાસના કરવા માટે કરાય છે. (૩) તપ નિયાણું રૂપે – ફળની પ્રાપ્તિ માટે કરાય છે. બીજી રીતે તપ બાહ્ય ને અત્યંતર પદ્ધતિથી ૧૨ પ્રકારે કરાય છે. બાહ્ય તપ : આમા ખાવા-પીવા ઉપર કંટ્રોલ અને કાયાને વશ કરવાની ભાવના છૂપાઈ છે. આહાર સંજ્ઞા ઉપર સંયમ લાવવા ત્યાગ ભાવ જેટલો બને તેટલો તપ કરતા આગ્રહ રાખવો જોઈએ. (ઈચ્છારીધન તપ). ૬૪
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy