________________
૬૩
| વિ.સં. ૧૫૮૭ વૈશાખ વદ છઠ્ઠ, રવિવાર શ્રવણ નક્ષત્રમાં આચાર્ય શ્રી વિદ્યામંડનસૂરિ મ. વગેરેની પાવન હાજરીમાં કર્માશાહે ઉત્કૃષ્ટભાવે શાશ્વત ગિરિરાજનો આદેશ્વર ભગવંતનો અભિષેક ઉમળકાથી કર્યો હતો.
વિ.સં. ૨૦૪૭માં ૩૬૦૦ સાધુ-સાધ્વી અને દોઢથી બે લાખ શ્રાવકોની હાજરીમાં રજનીભાઈ દેવડીએ ઘણા જ ઉમળકાથી પ્રશંસનીય એવા શાશ્વત ગિરિરાજના સંપૂર્ણ ૧૮ અભિષેક શુદ્ધિકરણ સહિત કરાવ્યા હતા. જેનો જાતિ અનુભવ આજે પણ ઘણાં પુણ્યવાનોને છે.
કે શાંતિધારા પાઠનું વાંચન સાથે અખંડ અભિષેકનું આયોજન મૂળનાયક પ્રભુ ઉપર ૨૧ વખત એટલા માટે જ થાય છે. જેનાથી શાંતિ-તુષ્ટી-પુષ્ટી આદિની વૃદ્ધિ થાય અને ઉપદ્રવો દૂર થાય.
અંતે પ્રભુ ઉપર કરાતા અભિષેક અવાંતર ભક્તની કર્મવર્ગણા દૂર કરવા, પાપથી મુક્ત થવા નિમિત્તરૂપ બને છે.
સો શુભ ભાવે આત્મશુદ્ધિનું ફળ અભિષેક દ્વારા પ્રાપ્ત કરે એ જ ભાવના.
અષ્ટ પ્રકારી પૂજા * વિદનોનો નાશ કરનારી – અંગપૂજા
૧. જળ, ૨. ચંદન (બરાસ), ૩. પુષ્પ * અભ્યદય સાધીની - અગ્રપૂજા
૪. ધૂપ, ૫. દીપક, ૬. અક્ષત
૭. નૈવેદ્ય, ૮. ફળ * નિવૃત્તિ-મોક્ષપદ દાતા ભાવપૂજા
ચૈત્યવંદન, દેવવંદન, સ્તુતિ