SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ અંભિષેક મૃત્યુ સુપવિત્ર તીર્થની રેણ, સંયુક્ત ગબ્ધ પુષ્પ સંમિક્ષ મુ; પતતુ જલ બિમ્બોપરિ, સહિરણ્ય મંત્ર પરિપૂતમ્. કુસુમાભરણ ઉતારીને, પરિમા ધરીય વિવેક; મજ્જનપીઠે સ્થાપીને, કરીયે જળ અભિષેક. (જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય) પરમાત્માની કરવામાં આવતી જલ-ચંદનાદિ અષ્ટપ્રકારી પૂજા ઉપરના ત્રણ કારણોના નિવારણ માટે થાય છે. (શ્લોક પદના અર્થ સહેલા હોવાથી લખ્યા નથી.) કે અભિષેક મંત્રથી, દ્રષ્ટીથી, પાણી (જળ)થી આશિષરૂપે કરવામાં આવે છે. ભગવાન ઉપર અભિષેક કરવો હોય તો શુદ્ધિ માટે ૧૮ પ્રકારના ઉત્તમ દ્રવ્ય (ઔષધી)થી કરવાની પરંપરા છે. અભિષેક દ્વારા આરોપન કરવાની પ્રાચીન પરંપરા છે. દા.ત. રાજ્યાભિષેક દ્વારા યુવરાજને રાજગાદીએ બેસાડાય છે. પદઅભિષેક જૈન ધર્મમાં આચાર્ય પદ આરોપન કર્ણમાં યોગ્ય મંત્ર સંભળાવી થાય છે. સંસારમાં ગાદીપતિ અથવા રાષ્ટ્રપતિ-મંત્રી-ગવર્નરાદિ યોગ્ય પદ ઉપર બિરાજીત કરવા માટે શપથવિધિ જેવી પ્રવૃત્તિ થાય છે. વિશિષ્ટ પ્રસંગે ભોજનજમીન-ધરાદિને વડીલો દ્વારા દ્રષ્ટિ અભિષેક, આશિષ અભિષેકાદિ પ્રવૃત્તિ કરાય છે. નૂતન દીક્ષાર્થીને સ્નાન દ્વારા અભિષેક થાય છે. માનવી જન્મ લે તે દિવસથી મૃત્યુ થાય ત્યાર સુધીમાં જન્માભિષેક, જનોઈ, ૫૮
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy