________________
૫૪
નવગ્રહની સાથે જેમ ૨૪ ભગવાનની શુભ આરાધના ઉપકારી મહાપુરુષે દર્શાવી છે. તેમ ગ્રહ-રંગની સાથે પંચ પરમેષ્ઠી ભગવાનની પણ આરાધના નીચે મુજબ બતાડી છે.
3ૐ નમો અરિહંતાણં ચંદ્ર-શુક્ર ૐ નમો સિદ્ધાણં સૂર્ય-મંગળ ૐ નમો આયરિયાણં : ગુરુ ૐ નમો ઉવક્ઝાયાણં બુધ-કેતુ ૐ નમો લોએ સવ્વસાહૂણં : શનિ-રાહુ
ગ્રહના સ્વભાવને નરમ કરવા માટે પ્રતિકાર રૂપે સાધક પાસે કોઈ શક્તિબળ હોવું જોઈએ. તે કારણે ઉપર પાંચ પરમેષ્ઠીને તે તે ગ્રહની સામે અસરકારક સાધના રૂપે દર્શાવાયા છે. વ્યવહારમાં સફેદ રંગ નિર્મળ અને સર્જનહાર તરીકે સ્વીકારાય છે. જ્યારે લાલરંગ થંભનનું કાર્ય કરનાર હોવાથી મોક્ષ (સિદ્ધ) એ સંસારનો અંત અનુભવવાનું સ્થળ છે. પીળો રંગ જેમ સુવર્ણ આઠ લક્ષણ-કાર્યથી પ્રસિદ્ધ છે તેમ આઠ પ્રભાવકના કારણે આચાર્ય જિનશાનની શોભા વધારનારા છે. ચોથો રંગ-લીલો બગીચાને યાદ કરાવે છે. સંસારી જેમ બગીચામાં ફરવા-આરામ કરવા-થાક ઉતારવા અને પ્રસન્ન થવા જાય છે. તેમ સમગ્ય જ્ઞાન રૂપી બગીચાના ઉપાધ્યાય રખેવાળ-માળી છે. એ પોતે જ્ઞાનના પરમ ઉપાસક છે અને બીજા-શ્રમણોને પણ જ્ઞાની બનાવે છે. છેલ્લો શ્યામ-કાળો રંગ વિવિધ સ્થળે મહત્વનો ભાગ ભજવે છે. જેમકે, ચિત્રમાં કાળી રેખા, આંખમાં કીકી, મુખમાં પાંપણ, અનાજના ઉત્પાદનમાં કાળી ભૂમિ વગેરે. સાધુ પણ સાધનાઆરાધના-તપસ્યાદિ દ્વારા ક્લિષ્ટ કર્મનો ક્ષય કરે છે. કાળા પાપનો નાશ કરે છે. આમ ગ્રહ રંગને કાર્યની સામાન્ય રૂપરેખા છે.
આકાશમાં ગ્રહની જેમ નક્ષત્ર અને રાશી છે. તેનો પણ જો વિચાર કરીશું તો નીચેનું કોષ્ઠક પણ કાંઈક મનન-ચિંતન કરવા કહી જાય છે. તેની સાથે જન્મેલી વ્યક્તિના નામકરણ માટેના અક્ષરોનો સંકેત પણ જોવા મળે છે. રાશીનક્ષત્ર-ગ્રહ-તારા એ સંકેત પણ જોવા મળે છે. રાશી-નક્ષત્ર-ગ્રહ-તારા એ બધા ૧૪ રાજલોકમાં આઠમા રાજલોકમાં (મૃત્યુલોક) મેરુપર્વતની ચોતરફ ફરતા વિમાનો છે.