SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ એક વાત નિશ્ચિત છે કે, એ ગ્રહોને જે જગ્યાએ ભાગ્યમાં નિવાસ મળ્યો છે તે બધું ખરી રીતે કર્મની કથા છે. કર્મરાજા પોતાના ૮ પ્રધાનો અને ૧૫૮ કર્મચારીઓ દ્વારા સુખ-દુઃખનો, અનુકૂળતા-પ્રતિકૂળતાનો હિસાબ ચોપડામાં લખે-લખાવે છે. અને સમજી લો એજ કારણે કુંડલીમાં તેને સ્થાન મળે છે. માનવી સુખમાં સોનીને અને દુ:ખમાં ભગવાનને શોધે છે. ભગવાન તેઓના દુ:ખને સુખમાં ફેરવી આપશે તેવું માને છે. પણ દુઃખને સહન કરવા માટે અથવા ભૂલી જવા માટે ભગવાનનું શરણું-નામસ્મરણ હૃદય મંદિરમાં સ્થાન આપવાનું તેને યાદ આવતું નથી. દુઃખને વાગોળો તો નવું દુઃખ વધશે. ૫૩ દુઃખને ભૂલવા મનની ગતિ ઉપર બ્રેક મારવી પડે. ઈચ્છીત સ્થળે જેની પાસે શક્તિ-યોગ્યતા હોય તેમાં મન પરોવવું જોઈએ. ભગવાન ઈચ્છા વગરના છે. ગુરુ ત્યાગના અનુરાગી છે. ધર્મ અહિંસા પ્રધાન છે. એ ત્રણે સ્થળે યોગ્યતા પ્રમાણે જવું. તેની ઉપાસના કરવી જોઈએ. આ સ્થળે કરવામાં આવતી પ્રવૃત્તિ સુખશાંતિનું નિર્માણ કરે છે. ગ્રહની શક્તિ ઘટાડવી હોય તો જે સ્થળે તેનાથી વધુ શક્તિ સામર્થ્ય સમતા આપવાની તાકાત હોય ત્યાં જવું જોઈએ. મનમાં જે અસ્થિરતા છે તે ખસેડવી જોઈએ. એકાગ્રતાથી ભગવાનની સાધના કરવી જોઈએ. ગ્રહની પીડા દૂર કરવા મહાપુરુષ ભદ્રબાહુ સ્વામી મહારાજે ગ્રહશાંતિ સ્તોત્રમાં ભગવાનનો ઉલ્લેખ કરી નીચે મુજબનું માર્ગદર્શન આપ્યું છે. સૂર્ય - પદ્મપ્રભુ ભગવાન ચંદ્ર - ચંદ્રપ્રભ ભગવાન મંગળ - વાસુપૂજ્ય ભગવાન બુધ - ૧૩-૧૪-૧૫-૧૬-૧૭-૧૮-૨૧-૨૪મા ભગવાન ગુરુ - ૧-૨-૩-૪-૫-૭-૧૦-૧૧માં ભગવાન શુક્ર - સુવિધિનાથ ભગવાન શનિ - મુનિસુવ્રતસ્વામી ભગવાન રાહુ - નેમિનાથ ભગવાન કેતુ - મલ્લિનાથ-પાર્શ્વનાથ ભગવાન
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy