________________
૪૮
પાપના-પશ્ચાતાપના આંસુ આવ્યા વગર નહિ રહે. આમ નિધિ ઉન્માર્ગગામી જીવને વધારેમાં વધારે દુર્ગતિના ખાડામાં ઉતારે છે. તેનાથી બચવું હોય તો ત્યાગનો માર્ગ અપનાવવો જ પડે.
નિધિ-ખજાના માટે પુણ્યશાળી શાલીભદ્રજીને રોજ ૯૯ પેટીઓ આવતી હતી. તેમાંથી નીકળતા ધન, અલંકાર અને વસ્ત્ર વિગેરે પોતે અને તેમની ૩૨ પત્નીઓ નિષ્કામ બુદ્ધિથી ભોગવતા હતા અને બીજે દિવસે એ ધન વિગેરે નિરૂપયોગી સમજી કૂવામાં ઠાલવતાં. કાળાંતરે એક લોભીએ કૂવામાં પધારાવેલું ધન કાઢવા માટે પુરુષાર્થ કર્યો પણ કાંઈ જ ન મળ્યું. તેથી કહેવું પડે કે, પુણ્યશાળીને ભૂત પણ રળે (કમાય)” અથવા પુણ્યવાન જ ભોગવી શકે, નસીબમાં હોય તો જ ભોગવાય.
પૂ. હેમચંદ્રસૂરિ મહારાજના બાલ્ય જીવનનો પ્રસંગ યાદ આવે છે. બાલ્ય અવસ્થામાં એ એક શ્રાવકના ઘરે ગુરુજી સાથે ગોચરી ગયા હતા. શ્રાવકના ઘરે સામાન્ય વૅસ) ભોજન બનાવ્યું હતું. બાલમુનિએ ગુરુવર્યને પૂછયું, ગુરુદેવ! શ્રાવકના ઘરે ખૂણામાં સોનામહોરો પડી છે. છતાંય આ ભાગ્યશાળીએ આવું સામાન્ય ભોજન કેમ કર્યું હશે? વડિલ ગુરુદેવે જવાબ ન આપ્યો, પણ શ્રાવકે આ વાત સાંભળી લીધી. એ વિચારવા લાગ્યો કે, ખૂણામાં તો કોલસાનો ઢગલો છે અને બાળમુનિની દૃષ્યિમાં એ સુવર્ણ છે એટલે શ્રાવકે મુનિનો સ્પર્શ ઢગલાને કરાવ્યો અને ફળ સ્વરૂપ એ સુવર્ણ થયું. ત્યાર પછી શ્રાવકે શાસન પ્રભાવનાના વિવિધ કાર્યોમાં એ ધનનો સદુપયોગ કર્યો.
નિધિ - જે પુણ્યવાન પાસે પ્રમાણથી વધુ હોય તે પુણ્યવાન આસક્તિ વિનાનો હોય. નિધાનને સાચવવા છૂપાવવા, કોઈ લૂંટી ન જાય તે માટે ચિંતિત ન હોય. કારણ પુણ્યથી એ પ્રાપ્ત થઈ છે. અલ્પ પુરુષાર્થથી મળી છે. એ જીવ પરિગ્રહ પરિમાણ વ્રતનો અનુરાગી છે. તેથી કોઈ ચિંતા તેને સતાવે નહિં. જે જીવને અનીતિથી ધનપ્રાપ્તિ થઈ હોય તેનું ધન ઝાઝું ટકે નહિ. કદાચ પોતાની પાસે જે હોય તે પણ ઓછું થાય. અનુભવી કહે છે કે, નીતિવાળું ધન સાત પેઢી ટકે.
કોઈક સ્થળે કહ્યું છે કે, “પૈસો પૈસાને ખેંચે” એનો અર્થ એ કે પુણ્યવાન, નિતિવાન, ભાગ્યવાન વ્યક્તિનો પૈસો બીજા પૈસાને પ્રયત્ન વિના પ્રાપ્ત કરે છે. આજ કારણે નિધિ-નિધાનને પવિત્ર પદ્ધતિથી પ્રાપ્ત કરો.