SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ સિંધિ શ્રાપિત આશીર્વાદીત વત્સ કિં ચંચલ વાંતો, ભ્રાંત્વા ભ્રાંત્વા વિષિ દશી, નિર્થેિ સ્વ સરિધાએ, સ્થિરતા દર્શયિષ્યતિ. (જ્ઞાનસાર) ભાવાર્થ : હે વત્સ દિવસ-રાત ચંચલ થઈ શા માટે તું આમ તેમ ભટકી રહ્યો છે ? તારો નિધિ-ખજાનો ખોવાઈ ગયો હોય તો બીજે ક્યાંય શોધ નહીં. એ તારી પાસે જ છે, તારામાં જ છે. તે સ્થિર થા, તને એ જડી જશે-દેખાઈ જશે. “નિધિ' એટલે ખજાનો, પ્રાચીન કાળમાં રાજા-મહારાજા પોતાની પ્રજા માટે રાજ્ય માટે રાજભંડાર-રાજખજાનો સુરક્ષિત રાખતાં. અવસર આવે ત્યારે તેનો સદુપયોગ કરી પ્રજાના શુભ આશીર્વાદ લેતા. પ્રજાને સુખ આપતા. સંસારમાં ભૂત-ભવિષ્ય-વર્તમાન એમ ત્રણ કાળ વ્યવહારમાં વપરાય છે. સાથો સાથ પ્રત્યક્ષ, અનુમાનને ઉપમાન પણ લોક જીભે ત્રણ સંજ્ઞાવાચી શબ્દ બોલાય છે. ગમે તે હોય પણ બુદ્ધિમાન પુરુષે ભવિષ્યની વિચારણા કરવી જોઈએ. જો ભવિષ્ય સારૂં, સુખદાઈ, અનુમોદનીય પ્રાપ્ત કરવું હોય તો વર્તમાનની ચર્ચા શાસ્ત્રજ્ઞાન અનુસાર કરવી પડશે. વર્તમાન જેનું સુઘડ-સુધરેલું હોય તેનું ભવિષ્ય સારું જ છે. પ્રાચીન કાળમાં કર્મને અનુસાર ચાર વર્ણ અથવા ચાર કુળની પ્રણાલિકા ચાલુ હતી. તે અનુસાર જીવો પોતપોતાને યોગ્ય પ્રવૃત્તિ કરી જીવન પસાર કરતાં હતા. તેમાં કોઈને ઓછાપણું ન લાગતું. આ ચાર વર્ણ-કુળ એટલે ઉગ્રકુળ ૪૫
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy