SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ४० માત્રા કોઈ પણ કારણે વૃદ્ધિ પામે તો તરત રોગનું આગમન થાય. ભોજન ઋતુ અનુસાર શરીરની પ્રકૃતિ મુજબ ઉમર મુજબ કરવું જોઈએ. આજથી ૭૫/૧૦૦ વર્ષ પૂર્વે લોકો ઘણા તંદુરસ્ત હતા. ગામમાં ડૉક્ટર-વૈધની સંખ્યા મર્યાદીત હતી. લગભગ પ્રજા સ્વાવલંબી મહેનતુ અને તંદુરસ્ત હતી. ઘરના વડીલો સમયાનું સાર શિખામણ આપતા. સમયસર ભોજન કરવું. ધર્મ ધ્યાન કરી ચિંતા મુક્ત જીવન જીવવું વિષય કષાયોથી દૂર રહેવામાં ગૌરવ અનુભવવામાં આવતો હતો. ચિંતા કરવાની કૂટેવ ન હોવાથી હંમેશાં પ્રસન્ન રહેતા. પ્રાચીન કાળમાં ભોજન પરસમાંથી સાનુકૂળ રસપાન કરાતો હતો. તેમાં માદક(સ્વીટ) આહાર મહિને ૨/૩ વખત શુદ્ધતા વાલો તથા તળેલા પદાર્થ પણ અનિવાર્ય કારણે વપરાતા હતા. ટૂંકમાં છ વિગઈ (દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, કડાવિગઈ)માંથી રોજ ૧/૨ વિગઈનો ત્યાગ સહેલાઈથી કરી આહાર ઉપર કાબૂ રાખવાનો અભ્યાસ હતો. શરીરને ટકાવવા જ આહાર લેવાની ભાવના હતી. વિગઈનું સેવન જેટલું બને તેટલું ઓછું કરતા હતા. અહિંસાની પૂજારી પ્રજા હોવાથી અભક્ષ્ય વસ્તુનો પૂર્ણ ત્યાગ (૪મહાવિગઈ વગેરે) કરવામાં ગૌરવ સમજતી હતી. વધુ સૂક્ષ્મ રીતે બીજા નંબરે કંદમૂળ, અનંતકાયી દ્રવ્યનું પણ સેવન કરવામાં મન તૈયાર થતું ન હતું. એ દ્રવ્યના સેવનથી પાપ લાગે ઉપરાંત બુદ્ધિ વિકૃત-ભ્રષ્ટ થાય તેવી માન્યતા હતી. પ/૧૦ તોલાં જેટલા એ દ્રવ્યના સેવનની પાછળ અનંત જીવોની હિંસા-વિરાધના નજર સામે આવતી. તેથી આવા દ્રવ્યથી પણ જીવન મુક્ત કરવામાં આનંદ મનાતો હતો. જૈન દર્શનમાં આહાર (ભોજન) કરતી વખતે ભક્ષ્યાભઢ્યનો ખાસ વિચાર કરવાનું કહ્યું છે. જે ભોજનથી વિચારોમાં શાંતિ-સમતાનો વિકાસ થાય તેમજ પાપનો નિકાચિત બંધ ન થાય તે ભોજન આવકાર્ય હતું. જે ભોજન હિંસકઅભક્ષ્ય હોય તેનું સેવન માનવીને તામસી-ક્રોધી-સારાસારના વિચાર વગરનો બનાવે. પાપનો બંધ કરાવે. અપ્રગટ જે જીવોની હિંસા કરી-થઈ હોય તે જીવો આર્તધ્યાન કરે. શ્રાપ આપે અથવા બીજા ભવે વેર લે, એ સંભવિત છે. બીજાની દયા કરતાં પોતાની દયા થાય છે. માટે જ મનુષ્ય જેમ ઓછા પાપ લાગે તેવી કાળજી રાખવી જોઈએ. આગળ વધી મહિનામાં ૧૨ દિવસ લીલોતરીનો ત્યાગ, ચાતુર્માસમાં બાહ્ય પદાર્થોનો ત્યાગ, ઘરના ચૂલા ઉપર જ બનેલી વસ્તુને વાપરવાની ભાવના ઘર ઘરમાં વસી હતી. રાત્રીભોજન કરનાર કાગ-ઘુવડનો અવતાર પામે. એ જ રીતે
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy