SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ભલ્ય ૬ આગર અભય અણહારી પદ મેં કર્યા, વિગ્ગહ ગઈ અનંત, દૂર કરી તે દિજીએ, અણહારી શિવ સંત. ભાવાર્થ : આ જીવે અનાહારીપણું વિગ્રહગતિ (એક ગતિમાંથી બીજી ગતિના શરીરમાં પ્રવેશ રૂપે)માં ઘણું ભોગવ્યું એવા અલ્પકાલીન અનાહારી પદ દૂર કરી શાશ્વતા અણાહારી પદની ઝંખના-ઈચ્છા (આપની પાસે) રાખું છું. આહાર એટલે ભોજન. શરીરને ટકાવવાનું સાધન. શરીરને તંદુરસ્ત રાખવાનું ઔષધ. આસક્તિ વિના કરવામાં આવતું ભોજન. એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જન્મ-મરણના પ્રવાસમાં આ જીવ પોતાની યોગ્યતા અનુસાર આહાર ગ્રહણ કરે છે. આશ્ચર્ય રૂપે દેવગતિના જીવોની તથા યુગલિક કાળના જીવોની આહાર સંજ્ઞા ઘણી જ મર્યાદિત હોય છે. પરંતુ વ્રત પચ્ચક્ખાણ રૂપ વિરતિધર્મ ત્યાં ન હોવાથી તેઓને તપાદિનો કોઈ લાભ થતો નથી. જેમ જીવને ભય-મૈથુન-પરિગ્રહ-ઉંઘ (નિદ્રા) વિગેરે સમયાનુસાર પ્રગટ થાય છે. તેમ ખાધેલા-ભોગવેલા ખોરાકનું પાચન થાય એટલે ભૂખ પણ લાગે છે. વગર ભૂખે ખાનારને અજીરણ થાય અને ભૂખ લાગ્યા પછી સમયસર વિવેકપૂર્વક આહાર લે તો સુખાકારી મળે. ભોજન સાથે સ્વાસ્થ્યનો પણ ઘણો નજીકનો સંબંધ છે. મુખ્યત્વે શરીરમાં વાત-પિત્ત અને કફની મર્યાદીત માત્રા હોય તો નિરોગીપણું અનુભવાય. પણ ૩૯
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy