________________
૩૮
કાળને જે સમજે-ઓળખે, કર્તવ્યને જાણે તે પંડિત એટલે અપ્રમત્તભાવે એ આત્મા એકક્ષણનો પણ પ્રમાદ ન કરે.
જ્ઞાનીઓએ મદીરા પીવાથી, વિષયો ભોગવવાથી, કષાયો કરવાથી, નિદ્રા લેવાથી અને વિકથા કરવાથી જીવ અવિવેકી બને છે. કિં કર્તવ્ય' એ વાત ભૂલી જાય છે. માટે પ્રમાદને પોષનારા-વધારનારા સાધનોથી દૂર રહો. તમારી પ્રગતિ રૂંધાશે, અધોગતિ થશે. એમ ભારપૂર્વક કહ્યું છે.
ઉદાહરણ : જંબુકુમાર ગણધર ભગવાન સુધર્માસ્વામીની ધર્મદેશના સાંભળી વેરાગી બને છે. સંયમ માટે ગુરુએ માત-પિતાની રજા લઈ આવવા કહ્યું. નગરીના દ્વાર સુધી આવ્યા પછી વિચાર કર્યો કે જો મૃત્યુને શરણ થઈશ તો અવિરતિમાં અસમાધિમાં મરીશ માટે ક્ષણમાત્રનો પણ પ્રમાદ કર્યા વગર ગુરુ પાસે જઈ ચોથા વ્રતના પચ્ચકખાણ લઈ ધન્ય બનું.
વ્રતના પચ્ચકખાણ બાદ આઠ કન્યા સાથે લગ્ન કરી રાત્રે ધર્મચર્ચા કરતાં, આઠ કન્યા તેઓના સોળ માતાપિતા, પ્રભવ આદિ પાંચસો ચોર અને જંબુસુમારના માતાપિતા એમ પાંચસો છવીસ મુમુક્ષુ સાથે જંબુકુમાર સંયમના પંથે શુભ ભાવે ભ. સુધર્માસ્વામીના શરણે ગયા.
ઇમારે ક્યાં શોભે ?
ક્યાં ન શોભે ? ભવભ્રમણ ઘટે ત્યાં શોભે. સંસાર વધે ત્યાં જ શોભે.