________________
રૂપ
(૧૦) અજ્ઞાન : મૂઢતા, અશ્રદ્ધાને લીધે જ્ઞાનની ઉપેક્ષા કરનાર. (૧૧) વ્યાક્ષેપ-અંતરાય : વિચારોમાં ચંચળતા, અસ્થિરતા. (૧૨) રતિ : ગમતાં પદાર્થ ઉપર રાગ-આનંદ કરે. (૧૩) કુતૂહલઃ આશ્ચર્ય-નવાઈ પમાડે (વગર કારણે જાણવાની જિજ્ઞાસા)
ઉપરના કથનનો સારાંશ એજ આવે છે કે, આ જીવ પોતાનું સાચું કર્તવ્ય ભૂલી મોહ-માયામાં સમય-શક્તિ વેડફી નાંખે છે. જેના કારણે પ્રગતી અટકે છે. કર્મની જંજાળ ઘટતી નથી. શાંતિ, સમાધિ, સમતાનો જે અનુભવ થવો જોઈએ તે પ્રમાદના કારણે થતો નથી. કદાચ એમ પણ કહી શકાય કે શાંતિ જોઈતી નથી.
ભૂતકાળ, ભવિષ્યકાળ અનંત છે જ્યારે વર્તમાન કાળસમય સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. વર્તમાનકાળમાં જો જીવને શુભ વિચારનો સ્પર્શ થાય તો તે તરત જ અપનાવવો જોઈએ. જ્ઞાની અનુભવી વિચારક પુરુષોએ કહ્યું છે કે, શુભકાર્ય કાલે નહિ, આજે જ કરો. અરે આજે નહિ, હમણાં જ, અત્યારે જ કરો. અરે અત્યારે નહિ, આ જ ક્ષણે કરો. જ્યારે અશુભ કાર્ય આ ક્ષણે નહિ, હમણાં નહિ, આજે નહિ, કાલે નહિ, ક્યારે ય નહિ એમ લંબાવો.
અનુભવીઓ કહે છે કે, ધર્મના વિચાર, પ્રવૃત્તિ અને અમલ કરવામાંસ્વીકારવામાં વચ્ચે અંતર ન રાખો. જ્યારે પાપના વિચાર અને અમલ વચ્ચે જરૂર કરતાં વધુ અંતર રાખો. એથી સંભવ છે કે, પાપનું કાર્ય તમારાથી અટકી જશે.
દા.ત. ગરમી લાગે છે. પંખો કરું? ના, ના. થોડીવાર સહન કરું. ધર્મના વિચાર અને અમલ વચ્ચે અંતર ન રાખો. બોલી બોલવી છે, બોલી નાખો. વિચારી વિચારીને બોલશો તો પુણ્ય જ્યારે ઉદયમાં આવશે ત્યારે અટકી અટકીને આવશે.
આઠ બાબતોમાં પ્રમાદ કરવો નહીં એમ પણ સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે. ૧. શ્રુત સાંભળવામાં, ૨. જ્ઞાન ટકાવી રાખવામાં, ૩. પાપની શુદ્ધિ કરવામાં, ૪. સંયમમાં ત્યાગની વૃદ્ધિ કરવામાં, ૫. કોઈ વ્યક્તિને ધર્મબોધ કે ચારિત્ર આપવામાં, ૬. નવદીક્ષિતને સહાય કરવામાં, ૭. બીમાર સાધુની સેવા કરવામાં, ૮. ઝઘડો થયો હોય તો ક્ષમા કરવામાં, માગવામાં.