SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાઇ પ્રમાદિ અપ્રમાદિ અવિરતિધર વિરતિધર પ્રમાદઃ પરમષી, પ્રમાદઃ પરમં વિષમ્, પ્રમાદો મુક્તિપુઈસ્યુ પ્રમાદો નરકાલયઃ. ભાવાર્થ પ્રમાદ એ દ્વેષી, વિષ, મુક્તિની પ્રાપ્તિમાં અંતરાયરૂપ ચોર અને નરકનું ઘર છે. પર્યુષણાના પર્વ દિવસ હતા. દહેરાસરમાં, ઉપાશ્રયમાં, આરાધકોની ભીડ જામી હતી. ચારિત્ર, દર્શનના ઉપકરણ લઈ સૌ જિનમંદિર વહેલી સવારે પ્રતિક્રમણાદિ કરવા પહોંચી રહ્યા હતા. આશ્ચર્ય એ જ કે વર્ષમાં માત્ર ૬૦/૬૨ દિવસ ઓછેવત્તે અંશે આ રીતે ભીડ જામે છે. છૂટા છવાયા એમ ૧૨ પર્વના દિવસો, બે શાશ્વતી ઓળીના ૯+૯=૧૮ દિવસ, પાક્ષિક પ્રતિક્રમણના ૨૧ દિવસ ૩ ચોમાસીના ૩ અને પર્યુષણ પર્વના ૮ દિવસ એમ ૧૨-૧૮-૨૧-૩-૮-૬૦/૬૨ દિવસ. દહેરાસર, ઉપાશ્રયમાં બધા ધર્મારાધના કરવા આવે છે. તો બાકીના દિવસોનું શું ? જવાબ સ્પષ્ટ છે કે આ ભાગ્યશાળીઓ બાકીના દિવસોમાં ધર્મથી રહિત ધર્મથી વિમુખ, ધર્મમાં આળસ, પ્રમાદ કરી પ્રમાદિ બને છે. કલ્પસૂત્રમાં જે ધર્મીના ત્રણ પ્રકાર બતાવ્યા છે. તે વાત જ્ઞાનીઓ જ્ઞાન દ્વારા જાણે છે. પણ યોગ્ય અવસર આવે ત્યારે જ એ પ્રકાશે છે. કલ્પસૂત્રમાં સદેયા, કયા અને ભદયા એમ ત્રણ પ્રકાર બતાવ્યા છે. ૩૩
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy