________________
લોભ
૪
રાગ-દ્વેષ
સર્વત્ર નિંદા સંત્યાગી, વર્ણવાદથ સાધુછ્યુ, આપદ્ દૈન્ય મન્યતં, તદ્ સંપદિ, નમ્રતામ્.
ક્રોધ
ભાવાર્થ : હરેક સ્થળે નિંદાનો ત્યાગ કરવાથી ગુણની પ્રશંસા કરવાથી મુશ્કેલીમાં પ્રસન્નતા રાખવાથી નમ્રતા અને સરળતાના ગુણની વૃદ્ધિ થાય છે.
સંસારમાં રાગ-દ્વેષ શબ્દની જાળ ઘણી મોટી અને શક્તિશાળી છે.
સંસારીના જીવનને દુષિત કરનાર અથવા જન્મ-મરણ વધા૨ના જો કોઈ હોય તો આ બે ધીમા ઝેર-સ્ટોપોઈઝન જેવા તત્ત્વ છે. એ માટે જ્ઞાની પુરુષોએ એનાથી ચેતતા રહેવાનું અલિપ્ત રહેવાનું તેનો ક્યારેય ભૂલેચૂકે સંગ ન કરવાનું ખાસ કહ્યું છે.
કદાચ જિનમંદિરના ગભારામાં પ્રવેશ કરતાં ઉંબરામાં વાઘ અને સિંહની મુખાકૃતિ જોઈ હશે, એ બીજું કાંઈ નહિ પણ રાગ અને દ્વેષના પ્રતિક છે, એ બંને ઉપ૨ વિજય મેળવવા તે ઉપરથી ઓળંગી આપના ચરણે-શરણે પ્રભુ હું આવું છું. એવો તેમાં ભાવ છૂપાયેલો છે.
રાગ-શબ્દનો સાદો અર્થ લાગણી-પ્રેમ એવો કરી શકાય છે અને રાગનો બીજો અર્થ કર્મશાસ્ત્રના આધારે માન-માયા કરી શકાય છે. અઢાર પાપસ્થાનકમાં સાતમે માન, આઠમે માયા અને દશમે રાગના સ્થાનો છે. એ જ રીતે દ્વેષનો સામાન્ય અર્થ ઈર્ષ્યા અદેખાઈ પણ થાય ને કર્મના કારણે તેના ક્રોધ અને લોભને પણ સ્થાન આપી શકાય. અઢાર પાપસ્થાનકમાં છઠ્ઠ ક્રોધ, નવમે લોભ, અગ્યારમે દ્વેષને સ્થાન આપવામાં આવ્યું છે.
૨૭