________________
d
કર્મના મુખ્યત્વે ઘાતી-અઘાતી એવા બે વિભાગ છે. એક આત્મગુણનો ઘાત-નુકસાન કરે છે. જ્યારે બીજા બાંધેલા કર્મ અનુસાર ભોગવવા રૂપ કામ કરે છે. એકનો સ્વભાવ લૂંટારા જેવો છે. આત્મધનને એ લૂંટે છે. જ્યારે બીજાનો સ્વભાવ વળાવું તરીકે કામ કરવાનો છે. મોક્ષની છેલ્લી ક્ષણ સુધી સાથે રહે છે.
સંસારમાં રહીને ધર્મ કરવો છે તો સમ્યગુજ્ઞાન જીવનમાં હોવું જરૂરી છે. એના પ્રતાપે શુદ્ધ પરિણામવાળો ધર્મ થાય છે. અન્યથા મિથ્યાજ્ઞાન મિથ્યાક્રિયા કરાવે ને કર્મ ખપાવવાના બદલે નવા કર્મનો બંધ કરાવે. જ્ઞાનાવરણીય કર્મના પ્રથમ ૨ ભેદ પ્રાયઃ મનુષ્યને જન્મથી હોય. જ્યારે બાકીના ત્રણ જેમ જેમ કર્મનો ક્ષય થાય તેમ તેમ પ્રાપ્ત થાય. આ ટૂંકી સમજ જો સમજાઈ જાય તો બાકીના સાત કર્મને સમજવા ઘણી વિચારણા, મહેનત કરવી નહીં પડે.
જ્યારે જીવ જ્ઞાનાવરણીય કર્મ બાંધે છે ત્યારે એ કર્મની સાથે આયુષ્ય કર્મ સિવાય બાકીના સાત કર્મો થોડે ઘણે અંશે પ્રગટ અથવા અપ્રગટ રીતે બાંધે છે.
જ્યારે તેનો ઉદય આવે ત્યારે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી એ ભોગવવું પડે છે. ઉદાહરણ : જ્ઞાનાવરણીય સાથે વેદનીય કર્મ માનવીને મંદ બુદ્ધિવાળો પાગલ અથવા અશાતા વધારનાર બનાવે છે. એટલું જ નહિં પણ આ કર્મના ઉદયે ભણે પણ યાદ ન રહે, સમજ ન પડે અથવા ઉપયોગમાં ન આવે. આ કર્મની શક્તિ એવી છે કે જેના કારણે અનંતજ્ઞાન ઓવરાઈ જાય-ઢંકાઈ જાય. સમાજ-સંસારમાં છેલ્લે પાટલે બેસવું પડે. કોઈપણ કાર્ય કરવામાં જશ ન મળે.
કર્મ જે આત્મા સાથે ચોંટે છે તેની બંધની પદ્ધતિ પણ વિચારવા જેવી છે. ટૂંકમાં તેના ચાર પ્રકાર છે. (૧) સ્પષ્ટ, (૨) બદ્ધ, (૩) નિધત્ત અને (૪) નિકાચીત. ઉપરાંત પરિસ્થિતિને વધુ સમજવા માટે કર્મના બીજા ચાર પ્રકાર શાસ્ત્રકારે દર્શાવ્યા છે. જેમ કે, (૧) પ્રકૃતિ, (૨) સ્થિતિ, (૩) રસ અને (૪) પ્રદેશ. આ ચારના કારણે કર્મના ઉદયકાળે જીવને (૧) તેનો સ્વભાવ, (૨) કેટલા સમય ભોગવવું પડશે તેનો સમય અને (૩) કેટલા ક્ષેત્રમાં (જગ્યા) એ ભોગવવું પડે તેનો નિર્ણય, (૪) સહેલાઈથી ભોગવાશે કે દુઃખદાઈ થશે? એનો અનુભવ થશે. કર્મની સામે ધર્મ-જીવદયા અનુકંપા હોય તો ઘણો ફરક પડે છે.
કોઈપણ ક્ષણે કર્મ જ્યારે બંધાય છે ત્યારે તે કર્મ બંધાવાના પાંચ કારણો છે. (૧) મિથ્યાત્વ, (૨) અવિરતિ, (૩) પ્રમાદ, (૪) કષાય અને (૫) યોગ. જો કર્મ બાંધતા પૂર્વે જીવનમાં સમ્યકત્વ, વિરતિ, અપ્રમત્તતા, સમતા અને ગુપ્તિ