SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ ન્યાયે નરકગતિને પામે. જ્યારે વાસુદેવ અને પ્રતિવાસુદેવ તો નિયમ નરકગતિને પામે. કર્મ જીવનને ફેલાવે છે, સંસાર સાગરના પ્રવાસને વધારે છે. જ્યારે ધર્મ જેવી પ્રવૃત્તિ કરો તેવો સંસાર ઘટાડે છે. જીવનમાં જે જીવે સર્વપ્રથમ સમક્તિની પ્રાપ્તિ કરી છે તે આત્મા ભવભ્રમણ અર્ધ પુદ્ગલ પરાવર્તન કાળ જેટલો સિમિત કરે છે. ધર્મના કારણે શું આ પ્રગતિ ઓછી છે? સર્વ પ્રથમ કર્મના સામ્રાજ્યને જોઈ લઈએ. કર્મનો સામાન્ય લોકભાષામાં અર્થ પ્રવૃત્તિ જવાબદારી વિગેરે થાય, પણ જૈન ધર્મ અનુસાર “ક્રિયા એ કર્મ' જ્યાં જ્યાં ક્રિયા-પ્રવૃત્તિ છે ત્યાં ત્યાં કર્મ વર્ગણાના પુગલો કર્મબંધના નામે આત્માની ઉપર આશ્રય-વિશ્રામ-નિવાસ કરે છે, એમ દર્શાવાયું-કહ્યું છે. કર્મનું ગણિત પુણ્યની સામે બાદબાકી અને પાપની સામે ગુણાકાર જેવું છે. એક વાત સમજી લેવા જેવી છે કે કર્મ-પવિત્રકાર્ય સારા આશયથી કરવામાં આવે તો તે જીવને મદદગાર થાય છે, અન્યથા અશુભ આશયે કરેલું કર્મ અશુભ ફળ આપ્યા વિના ન રહે. અશુભ ફળ જ આપે. જેને પુણ્ય-પાપના નામે આપણે ઓળખીએ છીએ. નં. | કર્મનું નામ | ક્યા ગુણને રોકે? | વિકતિ | ઉદાહરણ ૧. જ્ઞાનાવરણીય | અનંતજ્ઞાન | અજ્ઞાન, મૂર્ખતા | આંખે પાટા બાંધ્યા જેવું ૨. દર્શનાવરણીય) અનંતદર્શન | અંધાપો, નિદ્રા | દ્વારપાળ જેવું મોહનીય વીતરાગતા મિથ્યાત્વ, રાગ-દ્વેષ, દારૂડિયા જેવું કષાય, અવિરતિ અંતરાય અનંતવીર્ય કૃપણતા, દરિદ્રતા, | શેઠના ભંડારી જેવું પરાધીનતા ૫. વેદનીય અવ્યાબાધ સુખ-દુઃખ, મધથી લેપાયેલ સુખ શાતા-અશાતા | તલવારની ધાર જેવું આયુષ્ય અક્ષય સ્થિતિ જન્મ-મૃત્યુ બેડી જેવું નામ | અરૂપી પણું | શરીર, ઈન્દ્રિય,વર્ણ, | ચિત્રકાર જેવું ત્ર-સ્થાવરપણું વિ.) ૮. ગોત્ર | અગુરુ લઘું પડ્યું | ઉચકુળ-નીચકુળ | કુંભાર જેવું * કોઠામાં ઘાતી-અઘાતી કર્મને લક્ષમાં રાખેલ છે. | K | $ | * |
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy