________________
૧૬
સુધારવાની કમરહિત થઈ મોક્ષ પ્રાપ્તિની પગદંડી છે. જે જે પુણ્યત્માઓ મોક્ષ ગયા છે, તેઓએ ઘાતકર્મનો ક્ષય કરવા પુરુષાર્થ કર્યો છે. માટે પ્રાયચ્છિત્તની એ નિર્મળગંગાને સ્પર્શી પાવન થઈએ.
પાપ – દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપની વિરાધનાથી થાય છે. માટે એ ચારેની પ્રાયચ્છિત્તમાં આરાધના કરવી જોઈએ.
તત્ત્વાર્થાધિગમ સૂત્રના ૯માં અધ્યયનમાં પૂ. ઉમાસ્વાતિ મહારાજે નીચે મુજબ પ્રાયચ્છિત્તનો અધિકાર વર્ણવ્યો છે.
૧. આલોચનાઃ લાગેલા દોષોને ગુરુની સમક્ષ પ્રગટ કરી પ્રાયચ્છિત્ત લેવું. (મૃગાવત્તિ-ચંદનબાળા)
૨. પ્રતિક્રમણ : દિવસ દરમિયાન લાગેલા દોષો સંબંધીના પાપોનું સ્મરણ કરી મિચ્છામી દુક્કડ આપવા. (અઈમુત્તામુનિ)
૩. તદુભય આલોચના-પ્રતિક્રમણ એ બે પ્રકારના દોષોની વિશેષ પ્રકારે શુદ્ધિ કરવી. (રહનેમિ)
૪. વિવેકઃ આહારાદિને ગ્રહણ કરવા તથા અશુદ્ધ-અભક્ષ્યનો ત્યાગ કરતા વિવેક રાખવો. (સાધુએ તુંબડું ન પરઠવતાં જીવદયા ચિંતવી વાપર્યું)
૫. વ્યત્સર્ગ કાઉસગ્નમાં ઉપયોગ પૂર્વક વચન કાયાના વ્યાપારનો ત્યાગ. (મેતારજ મુનિ)
૬. તપઃ આત્મશુદ્ધિ, કર્મક્ષય, પાપ શુદ્ધિની ભાવનાથી બાહ્ય-અત્યંતર તપ કરવું. (સુંદરી સ્ત્રી રત્ન)
૭. છેદ : દીક્ષા પર્યાયના છેદથી લાગેલા પાપો માટે શુદ્ધિ કરવી. (હરિભદ્રસૂરિ)
૮. પરિહાર : પ્રાયચ્છિા પૂર્ણ ન થાય ત્યાં સુધી જલ્દી પૂર્ણ કરવા આહારાદિનો વિશિષ્ટ ત્યાગ કરી મનને મનાવી લેવું. (કાર્ય સફળ કરવા યત્ન કરવો). (ચંડકૌશિક).
૯. ઉપસ્થાન દોષોની શુદ્ધિ માટે પૂર્વ પર્યાયનો ત્યાગ અને નવા પર્યાયમાં પ્રવેશ.
ટૂંકમાં મૃત્યુને જો મહોત્સવરૂપ કરવું હોય તો સમાધિમરણ પ્રાપ્તિ માટે માનવીએ મનને સંતોષી-પ્રસન્ન કરવું પડે. વચનની ઉપર અનર્થદંડાદિ કાર્યની