SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ સંસ્થાન નામકર્મ : છ પ્રકારના સંસ્થાનમાંથી કર્મ અનુસાર (તીર્થંક૨ પરમાત્માનું સમચતુરસ્ત હોય) થાય. વર્ણ (રંગ), ગંધ (સુવાસ), રસ (સ્વાદ), સ્પર્શ (શીત) વગેરે કુલ ૨૦ પ્રકારો શરીરની સાથે સંકળાયેલા છે. આ ઉપરાંત શ્વાસોશ્વાસ-સુસ્વર, દુસ્વર, સ્થિર, અસ્થિર આદી મનુષ્યને ઉપયોગી બધી જ સામગ્રી નામકર્મના કારણે જીવને ભોગવવા મળે છે. અર્વાચિન સાયન્સ પણ શરીરના બંધારણ માટે ઓક્સિજન, કાર્બન, નાઈટ્રોજનનો ઉપયોગ બતાડે છે. તે જ રીતે લોખંડ, ઝિંક, તાંબુ વગેરે શરીરમાં અજાયબી ભરેલા વસે છે, એમ કહે છે. કીડની, મગજ, હૃદય, લીવર, આંખ, કાનને પણ કામ આવના૨ા તંદુરસ્તી આપનારા કહ્યા છે. ટૂંકમાં શાસ્ત્રની હિસાબે કે વર્તમાન સાયન્સના હિસાબે જે કાંઈ શરીરની રચનામાં ઉપયોગી છે તે બધી કર્મની કથા છે. કર્મની બલિહારી છે. શરીરની જેમ આહાર પણ ૩ પ્રકારના છે. *ઓજ આહાર, લોમ આહાર અને કવલ આહાર. મુખ્યત્વે મનુષ્ય (૧) પેટ ખાલી હોય, (૨) ક્ષુધા વેદનીય કર્મનો ઉદય હોય, (૩) મનગમતો આહાર જોયો હોય અને (૪) આહારનું ચિંત્વન કર્યું હોય, આ ચાર પદ્ધતિમાંથી ૧/૨ કા૨ણે આહાર-ભોજન કરે છે. તે પણ ૨૮ થી ૩૨ કવલ જેટલો જ કરે. આહાર સંજ્ઞાને ઘટાડવી હોય તો વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, ઉણોદરી વગેરે તપ કરવાનો આગ્રહ કરવો જોઈએ. દેવગતિમાં આહારની માત્રા ઘણી ઓછી હોય પણ તેઓને ત્યાગની ભાવના હોતી નથી. એટલે એ ત્યાગી કે ઉપવાસી ન કહેવાય. પચ્ચક્ખાણ કરી ન શકે. જીવને જન્મ લેવા માટે યોનીનો સહારો લેવો પડે છે. જીવવિચારનવતત્ત્વમાં યોની નીચે મુજબ બતાડી છે. સચિત્ત : જીવ પ્રદેશવાળી સચિત્તાચિત : જીવ-અજીવ-મિશ્ર ઉષ્ણ : જેનો સ્પર્શ ઉષ્ણ હોય અચિત્ત : જીવ પ્રદેશ રહિતની શીત : જેનો સ્પર્શ ઠંડો હોય. શીતોષણ : જેનો સ્પર્શ ઠંડો-ગરમ હોય. * ઓજાહાર માતાના ગર્ભમાં લેવાતો આહાર. લોમાહાર – શરીરના છિદ્રો દ્વારા લેવાતો આહાર. કવલાહાર – મુખ દ્વારા, કવલ દ્વારા લેવાતો આહાર.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy