________________
૧૧
આવશ્યક સૂત્રોમાં જય વીયરાય-નમુન્થુણં સૂત્ર વીતરાગ ૫રમાત્માનો પરિચય કરાવના૨ અને દેવાધિદેવ સમક્ષ પ્રાર્થના કરાવનાર સૂત્ર છે. તેમાં પણ આરાધક આત્મા પ્રભુ પાસે ૧૩ માંગણીની સાથે એક માત્ર સમાધિમરણની યાચના કરે છે.
મનુષ્યને ચાર અવસ્થા (બાલ, યુવા, પ્રૌઢ અને વૃદ્ધ)માંથી જીવન પસાર કરવાનું હોય છે. તે વખતે ખાસ જ્ઞાન પ્રાપ્તિ, સંસ્કારનિધિ, સમજશક્તિ-બુદ્ધિ અને સંતોષની વૃત્તિ જો કેળવવામાં આવે તો જીવન સફળ થઈ જાય. સંતોષી જીવનું જ્ઞાનધન ન ખૂટે, આપત્તિ ન આવે તેથી કાળાંતરે જન્મ ઘટે ને મુક્તિ મળે એ નિશ્ચિત છે. કહ્યું પણ છે કે, ‘સંતોષી નર સદા સુખી.’
જે ઘરમાં મનુષ્યનો જન્મ થાય તેના માતૃપક્ષ ને પિતૃપક્ષને કુળ ને વંશ કહેવાય છે. એ બન્ને જો ઉત્તમ હોય તો એક જન્મમાં અનેક જન્મોના પાપોદુષ્કૃત્યો સંસ્કારી માતા-પિતાના કારણે ક્ષય થઈ શકે છે. જીવન સફળ કરવા માટે ઘરમાં ધર્મવાસિત વાતાવરણ હોવું ઘણું જરૂરી છે.
જીવનયાત્રામાં પ્રગટ-અપ્રગટ ચાર નોટીસો પ્રૌઢ-વૃદ્ધાવસ્થામાં સમજદા૨ને સમજી લેવા, સાધી લેવા, ચેતી લેવા કાળરાજા બજાવે છે. નોટીસોનો સાર કાંઈક આવો હોય છે. (૧) માથાના કાળા વાળને ધોળા થવું (૨) દાંત પડવા લાગે, વિદાય લે. (૩) આંખે જોવાનું બંધ થાય, ઓછું દેખાય, અંધારા આવે (૪) કાને ઓછું સંભળાય, પગે ચાલી ન શકાય, શરીર શિથીલ બને અથવા કરચલીઓ આવે. આ અવસરે આકાશ જેટલી ઈચ્છા ન રાખતાં તૃપ્તિ રાખવી જોઈએ.
જન્મ વખતે જે શરીરનું નિર્માણ થાય છે. તે પણ સમજવા જેવું છે. સામાન્ય રીતે ઔદારિક, વૈક્રિય, આહા૨ક, તેજસ અને કાર્યણ એમ પાંચ પ્રકારના શરીર છે. તેમાં ઔદારિક, તેજસ અને કાર્યણ એમ ત્રણ શરીર મનુષ્યને હોય. બાકીના બે શરીર લબ્ધિના સહારે લબ્ધિધારી મહાપુરુષોને પ્રાપ્ત થાય.
કર્મ વિજ્ઞાનમાં શરીરની અંદર જે જે અંગ-ઉપાંગનું નિર્માણ થાય છે, તેનું કારણ નામકર્મ છે. આ નામકર્મના ૧૦૩ ભેદમાં નીચેના મુખ્ય ભેદોના કારણે શરીરનું તે તે પ્રકારનું નિર્માણ થાય છે.
સંઘયણ નામકર્મ : છ પ્રકારના સંઘયણમાંથી આરાના, કર્મના, કાળના આધારે સંઘયણ (શરીરની રચના) થાય છે.