________________
બીજાને (વારસદાર) સોંપી સાક્ષી ભાવે વનવાસ શાંતિ અને સમતાથી ભોગવે તો તેને સમાધિમરણ પ્રાપ્ત કરવા સરળ માર્ગ મળે. જેનું મરણ સુધર્યું એનું બધું જ સુધર્યું.
જીવનની ૪ અવસ્થા અથવા ૪ વિશી કહેવાય છે. જે શાસ્ત્રવચન સાંભળી જીવન સુધારે છે તેને પછી પસ્તાવું પડતું નથી. કહેવાય છે કે, “સોળે સાન, વીસે ભાન, વળ્યા તો વળ્યા, નહિં તો પત્થર પાન.”
એક કવિએ કહ્યું છે કે, “ઢળી પડી પાંપણો, બંધ બારણે દેખાયું.”
જે વખતે આંખો બંધ થાય છે ત્યારે બીજી ગતિમાં જવું પડે છે. ત્યાં બંધ બારણામાં પુણ્ય-પાપનો ચોપડો આ જીવે ફરીથી લખવો પડે છે. જો મનુષ્ય જન્મમાં ઓછું લખે તો જન્મ-મરણ ઓછા થાય અને વગર વિચારે જીવન જીવે તો જન્મ-મરણ વધી જાય.
સંસારમાં સાયકલ-સ્કુટર-મોટર જેવા અનેક સાધનોમાં બ્રેક (કાબુ) હોય છે. બ્રેકના કારણે પ્રવાસીઓનો પ્રવાસ સુખમય શાંતિદાયી થાય છે. જો જડ એવા સાધનોના સહારે બ્રેકને લીધે જીવને શાતા મળતી હોય તો સંયમ રૂપી બ્રેકથી સંયમી જીવને સંયમી જીવન દ્વારા શું ન મળે? મોક્ષ મેળવવા માટે સંસારથી મુક્ત થવું એ જ નિર્ણય લાભદાયી છે. સંસાર ઘટે બધું ઘટે.
એક જીજ્ઞાસુએ જીવનશાસ્ત્રીને પૂછ્યું, સુખી કોણ? જવાબ આપ્યો, તૃપ્તસુખી અને અતૃપ્ત-દુઃખી. ધર્મ સુખી, અધર્મી દુઃખી. કહેવાનો ભાવાર્થ એ જ કે ધનથી, ભોગ સામગ્રીથી, વૈભવ વિલાસથી, માન-પાનથી કોઈ જ સુખી થયું નથી, થશે નહી અને થવાનું નથી. યાદ રાખો, “જેટલું સુખ ત્યાગમાં છે, તેટલું ભોગમાં નથી.” ઉદાહરણ : ૧. શ્રીકૃષ્ણ પોતાની પુત્રીઓને પ્રશ્ન કર્યો કે તમને દાસી થવું છે કે રાણી? ૨. અભયકુમારે સંયમનો મહિમા પ્રજાને બતાડવા એક કાળોને બીજો સફેદ
મહેલ બનાવેલ. ૩. પુણીયા શ્રાવકે પ્રભુવીરને અશાંતિ-દુઃખથી બચવાના ઉપાય-માર્ગ પૂક્યો
હતો. અષાઢાચાર્ય-નંદીષેણ વગેરેનું કર્મના પ્રભાવે ભાવનાનું પતન થયું પણ અંતે એ સત્ય સમજી ગયા, સંસાર સાગર તરી ગયા.