________________
કર્મ-શાસ્ત્રમાં વેદનીય કર્મના શાતાવેદનીય અને અશાતાવેદનીય એમ બે પ્રકાર દર્શાવ્યા છે. જેને બીજા શબ્દોમાં સુખ-દુઃખ કહીશું. આ સુખ-દુ:ખ મનના વિચારોના, વચનના શબ્દોના અને કાયાના આચરણને આધારે બંધાયેલા કર્મોને લીધે અલ્પકાલીન અથવા દીર્ધકાલીન ભોગવવા પડે છે. જે ક્ષણે અણગમતું થયું ત્યાં મનદુઃખ ઉભું કરે છે. જ્યાં કષાયોનો જન્મ થયો ત્યાં દુઃખ નિર્માણ થાય છે. આચરણમાં વિનય-વિવેક ભૂલી રાગ-દ્વેષને મહત્વ આપી પોતાના અહમ્ને પોસો તો કર્મબંધ કરી દુઃખી થવાય છે. પણ જે જીવનમાં ઈન્દ્રિયો ઉપર સંયમ રાખે, વશમાં રાખે છે એ સંતોષી જીવ કર્મબંધ શુભ કરે. અલ્પ કરે અને સુખી થાય છે. ‘સંતોષી નર સદા સુખી' આ કહેવતને સાર્થક કરે છે.
હવે મૂળ વાત એ વિચારવાની છે કે, મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ ? જે જીવન ભોગવવાથી જો મનુષ્યને ચોવીસે કલાક આર્તધ્યાન, રૌદ્રધ્યાન કરવું પડતું હોય. આધુનિક જમાનામાં જેને બી.પી.ની વધઘટ થતી હોય તો એ માનવ સુખેથી જીવી શકતો નથી એમ શું ન કહી શકાય? જીવન જીવતા તેને આવડતું નથી એમ સમજવું.
આ સવાલનો જવાબ ઉત્તરાધ્યયન સૂત્રના શ્લોકના આધારે કરીએ,
શોધીએ.
× ચત્તારિ પરમંગાણિ દુલ્લહાનિ ત જંતુણો । માણુમ્રુત્ત સુઈ સદ્ધા, સંયમંમિઅ વિરિયં ।।
ઉત્તરાધ્યયન
ભાવાર્થ : (૧) મનુષ્યત્વ-મનુષ્યનો જન્મ, (૨) સુઈ-શ્રુતિ-સદ્ધર્મનુ શ્રવણ, (૩) સદ્ધા-ધર્મમાં શ્રદ્ધા (૪) સંજમ-વિરતિનો સ્વીકાર કરવાનો અપૂર્વોલ્લાસ. આ ચા૨ પરમ મંગલ વસ્તુ બીજા સામાન્ય જીવોને દુર્લભ છે.
મનુષ્યમાં આ ચાર ગુણો પ્રવેશી જાય અથવા તો આ ચાર ગુણોને જીવનમાં વિકસાવવામાં સ્થાપવામાં આવે તો માનવમાંથી એ મહામાનવ બની જાય. આ ચાર ગુણો એટલે મનુષ્યમાં મનુષ્યત્વ, સુશ્રવણ, શ્રદ્ધા અને સંયમનો આવિષ્કાર થાય તો એ જીવન જીવી જાણે. બાકી આજે મનુષ્ય જે રીતે જીવન જીવી રહ્યો છે એ યોગ્ય નથી એમ કહી શકાય.
જીવન કેવી રીતે જીવવું ? આ પ્રશ્નનો જવાબ જો શોધવા જઈશું તો સંયમી (સાધુ) જીવન અને અસંયમી (સંસારી) જીવન એવા બે માર્ગ દેખાશે. જેનું જીવન મન, વચન અને કાયા ઉપર નિયંત્રણ કરે છે તેનું જીવન સંયમી છે, નીતિ