________________
૧૩૨
સંસાર તરવા માટે જ આ અનુષ્ઠાન કર્યું. હવે મનને પવિત્ર રાખવા ખાસ ક્ષમામિચ્છામિ દુક્કડું પ્રાયચ્છિત્ત લેવું જરૂરી છે.
કર્મશાસ્ત્રમાં ભારપૂર્વક મનની ઉપર અંકુશ રાખવા પ્રેરણા આપી છે. જ્ઞાનાવરણીય કર્મ મનના અપવિત્ર ઝરણાના વહેણના કારણે બંધાય છે. એટલું જ નહિં આઠે આઠ કર્મના દલિકોને જો કોઈ નિમંત્રણ આપતું હોય તો આ મન જ છે. તેથી તેને “વાંદરા'ની ઉપમા આપી છે. વાંદરાની જેમ એ ચંચળ છે. એક ક્ષણમાં એ ક્યાં જઈ વિચાર કરવા બેસશે તેનું ઠેકાણું નહિં.
મનના – *મનોયોગ, મનગુપ્તિ, મનદંડ એવા વિભાગો કરી આ જીવ તે તે પ્રકારની અનુકૂળ, પ્રતિકૂળ પ્રવૃત્તિ કરે છે. સંજ્ઞી અને અસંશીના વિભાગો કરી મનની શક્તિ ને જીવવિચાર પ્રકરણ દ્વારા ઘણી સ્પષ્ટતા કરી છે.
સામાન્ય રીતે કોઈપણ પ્રશ્નનો જવાબ વિચાર (મન) કરીને અપાય છે. જ્યારે તીર્થંકર પરમાત્મા કેવળી હોવાથી ત્રણે કાળના ચરાચર જીવોના જ્ઞાતા હોય છે. તેઓને વિચાર કરવાની કે બીજાને ખુશ રાખવાની જરૂર રહેતી નથી.
ધર્મી જીવ જ્યારે દ્રવ્ય ક્રિયા કરે છે ત્યારે દરેક ક્ષણે ઉપયોગમાંથી એ બીજા ઉપયોગમાં અથવા એક સાથે બે ઉપયોગમાં મનને વાપરે છે. તેના કારણે “અતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ' જેવું વાતાવરણ સર્જાય છે. માટે જ ઉપકારીઓ દ્રવ્યમાંથી ભાવક્રિયામાં મનને પરોવવા પ્રેરણા આપી છે. ક્રિયા પાછળના હેતુ સમજવા કહ્યું છે.
કોઈ ચિંતક મન કેટલા પ્રકારના સારા-ખરાબ ચિંત્વન કરે છે, કરી બેસે છે? એ પ્રશ્નની શોધ કરવા બેઠો. ત્યારે એક ક્ષણે એ પણ મુંઝાઈ ગયો. શું આ જીવ આવા પ્રકારના મન દ્વારા કાર્ય કરે છે ખરો?મનના કાર્ય (નિમિત્ત)નું લિસ્ટ ચિંતકે નીચે મુજબ લખ્યું : ૧. મોહવાસિત ૨. જ્ઞાતાદ્રષ્ટા મન ૩. સંકલિષ્ટ મન ૪. ઉપશાંત મન ૫. અશુદ્ધ મન
૬. સુવિશુદ્ધ મન ૭. નિર્બળ મન ૮. મજબૂત મન ૯. પ્રમાદી મન ૧૦. પરદોષદ્રષ્ટા મન ૧૧. સુકૃત અનુમોદક મન ૧૨. અવિરતિ પાપ મન * કરેમિ ભંતે – મણેણં, વાયાએ, કાએણે.
સામાઈય વયજુરો – ૧૦ મનના, ૧૦ વચનના, ૧૨ કાયાના. અન્નત્ય – ઠાણેણં, મોણેણં, ઝાણેણં વગેરે.