________________
પદાર્થને જાણી લેવા માટે ૧૮ દિવસની સર્વવિરતિ સહિત આરાધના ગુરુ મુખે પાઠ લેવા માટે કરવામાં આવે તો તેથી મંત્ર પ્રત્યે પૂજ્ય ભાવ પેદા થાય. અને એજ જાપ-સ્મરણ માટે આવશ્યક છે. હીરાની કિંમત સમજાય તો તેની સાચવણી કરવાનું મન થાય તેમ મંત્રનો મહિમા જાણવાથી પવિત્ર ભાવે સ્મરણ કરવાનું
મન થાય.
૧૦૯
શુભ અધ્યવસાયમાં એટલે શુભ ધ્યાનમાં એવી શક્તિ છે કે પ્રાયચ્છિત્તના આલંબનથી અઈમુત્તામુનિની કેવળજ્ઞાની થયા. સર્વ કર્મક્ષય કરી મોક્ષે ગયા. પરંતુ આત્મા હળુકર્મી ન હોય, પ્રાયચ્છિત્ત ન લે તો જૂના પાપનો ક્ષય કેવી રીતે થાય ? આ આત્મા રોજ નવું પાપ બાંધે છે. માટે જ ધ્યાન-ચિંતન એ જીવનને સુધારે છે, પ્રસન્નતા બક્ષે છે. યાવત્ વૈરાગ્યવાન પણ બનાવે છે. એટલું યાદ રાખવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને નજર સામે રાખી કરવું જોઈએ. વસ્ત્ર, સ્થાન, ઉપકરણ (આસન), અવલંબન માળા જો એક જ કાયમી રાખવામાં આવે તો તે બધું ધ્યાનમાં મદદરૂપ થાય. વ્યાપારી સિઝનના અવસરે ઘર-પરિવાર, ભૂખ-તરસ ભૂલી જાય તેમ ધ્યાની જ્ઞાનના સહારે આત્માને શરીરથી ભિન્ન કરી દે તો ખોટું નથી, કરવું જ જોઈએ.
ધ્યાન
—
ભાવના.
સમજવા જેવી વાત છે કે, અશુભનો ઉદય શુભમાં જ્યારે પરિવર્તિત થાય ત્યારે કર્મક્ષયનો પ્રારંભ થાય. એ જ રીતે સંયોગોના કારણે શુભનો ઉદય અશુભમાં પણ પરિવર્તિત થાય તે વખતે નવા કર્મના બંધનો પ્રારંભ થાય. માટે જ યાદ રાખો, બાંધેલા શુભ-અશુભ કર્મ માનવીને ભોગવવા જ પડે છે.
કહ્યું છે, બંધ સમયે ચિત્ત ચેતીએ, ઉદયે શો સંતાપ ?
જીવનમાં સહેલામાં સહેલી ધ્યાન-પ્રવૃત્તિ વિકસાવિએ એજ મંગળ