SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ ઓળખ માટે હજી નીચેના તેના નામો ભગવતિ સૂત્રના સહારે સમજી લો. યોગાત્મા - મન-વચન-કાયાના યોગવાળો નિર્મળાત્મા - સ્ફટીક જેવો પારદર્શક, નિર્મળ આત્મા કષાયાત્મા – કષાય જેવો લાલ બુંદ, નિત્ય જીવન જીવનાર જ્ઞાનાત્મા - ૮ આચારમાં વ્યસ્થ પ્રવૃત્તિવાન દર્શનાત્મા - ૮ આચારને જીવનમાં પાળનાર ચારિત્રાત્મા - ૮ આચાર પાળવામાં પ્રવૃત્તિશીલ ઉપયોગાત્મા – જ્ઞાનાદિમાં ઉપયોગવાન વિર્યાત્મા - પાંચ આચારને પાળવામાં શક્તિ ફોરવનાર. ધન જમીનમાં દાટેલું હોય તો કાળાંતરે પણ તે મળે તેમ આત્મામાં અનંત શક્તિ છૂપાયેલી છે. તે કર્મના વાદળ-આવરણ દૂર થતાં પ્રગટે. આવા પ્રકારનું ચિંતન કરનારને આત્માનો અનુભવ ધીરે ધીરે થાય. આત્મા સંબંધિ છ પ્રશ્નો પણ શાસ્ત્રમાં ચિંતન માટે લખ્યા છે. પ્રશ્ન-૧. આત્મા છે, ૨. નિત્ય છે, ૩. કર્મનો કર્તા છે, ૪. કર્માદિનો ભોક્તા છે, ૫. મોક્ષ છે, ૬. મોક્ષે જવાના ઉપાય છે. બાહ્ય રીતે સામાન્ય જેવા દેખાતા આ પ્રશ્નોની ઉપર વિચાર ધ્યાન દ્વારા કરવામાં આવે તો શાશ્વત આત્માની સિદ્ધિ થાય. તેનામાં શક્તિ-અસ્તિત્ત્વ, યોગ્યતા, સામર્થ્યનો પરિચય થાય. આઠ કર્મનો જ્યારે સંપૂર્ણ નાશ થાય ત્યારે આત્માની અંદર રહેલા *આઠ ગુણો પ્રગટ થાય પછી એ આત્મા શાશ્વત સુખનો ભોક્તા બને, મુક્તિ પામે. નમસ્કાર-નવકાર મહામંત્રનું ધ્યાન શરૂ કરવું હોય તો તેના પદ-રંગઅક્ષર-ગુણ-ગુણીના વિચારો કરવા પડે. નમો-નમસ્કાર એ શબ્દનો મહિમા ગાવો પડે. વિનય એ ધર્મનું મૂળ છે એ સમજવું પડે. ચોદ પૂર્વનો સાર આ મહામંત્ર છે. વગેરેનું ચિંત્વન-મનન કરતા મહિમાવંત મંત્રને પૂજ્ય ભાવથી જાપ કરતાં કર્મ ક્ષયનું નિમિત્ત થાય એ નિશ્ચિત છે. નવકાર મહામંત્ર જો અધિકારપૂર્વક સ્વીકારવો હોય તો તેના અર્થ, આત્માના આઠ ગુણ : ૧. અનંતજ્ઞાન, ૨. અનંતદર્શન, ૩. વીતરાગતા, ૪. અનંતવીર્ય, ૫. અવ્યાબાધ સુખ, ૬. અક્ષય સ્થિતિ, ૭. અરૂપીપણું, ૮. અગુરુ લઘુપણું.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy