SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ શુદ્ધિ કરાવે છે, આત્માને પવિત્ર કરે છે. દ્રવ્ય ભાવથી પ્રભુના પ્રભુ-વીતરાગી તરીકે દર્શન કરવા જોઈએ. તેથી જ એક કવિએ કહ્યું-લખ્યું છે : ભગવાન ! તું મુજને પણ એક વરદાન આપી દે, જ્યાં તુ વસે છે ત્યાં મને પણ સ્થાન આપી દે. એક લખપતિ વ્યાપારી કરોડપતિ-અબજપતિ વ્યાપારી સાથે ભાગીદારીનો ધંધો કરવા ઈચ્છતો હતો. બન્નેની વચ્ચે વ્યાપાર સંબંધિ કરાર સોલીસીટરે લખી તૈયાર કર્યા. માત્ર ભાગીદારીમાં નફા અંગેનો નિર્ણય અને સહી કરવાની બાકી હતી. મિટીંગ બન્ને વ્યાપારીની મળી. લખપતિએ મને કાંઈ જોઈતું નથી એવા વિચારો વારંવાર રજૂ કર્યા. અબજપતિએ જો કાંઈ જ જોઈતું ન હોય તો આ ધંધો જ શા માટે કરો છો ? એવો પ્રશ્ન કર્યો. થોડી ક્ષણો બાદ લખપતિએ કહ્યું, બીજું બધું તો ઠીક મારે તો તમારી જોડેની મૂર્ચા ઉપર બેસવું છે. એટલું આપો. (સમજાયું?) હકીકતમાં ભાગ્યવિના ધન મળતું નથી. તેમ યોગ્યતા વિના ભગવાન થવાતું નથી. એ માટે પ્રથમ સમર્પિત થાઓ પછી ભક્ત બનો છેલ્લે ભગવાન નિરંજન નિરાકાર થઈ જશો. પૂજક પૂજ્ય થઈ જશે. કર્મ બાંધવાના બદલે કર્મ ખપાવવાનો આગ્રહ રાખનાર. તેવું આચરણ કરનાર સંસારમાં “ભગવાનનો માણસ' કહેવાશે અને સમાધિપૂર્વક મરણ પામી ભગવાન-સિદ્ધાત્મા થઈ જશે. દ્રષ્ટિ બદલો બધું બદલાઈ જશે, સાધના સુધારો જન્મ-મરણ સુધરી જશે.
SR No.006141
Book TitlePhool Ane Foram
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherNavjivan Granthmala
Publication Year2011
Total Pages174
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy