________________
૧૦૧
તથા સાર્થવાહ મનુષ્યોને સંભાળે છે. જંગલમાંથી પાર ઉતારે છે. તેમ તીર્થંકર પરમાત્મા “સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રાણી મોક્ષ માર્ગ ની પ્રરૂપણા કરી ભવ્ય જીવોને મોક્ષમાર્ગ દર્શાવે છે.
દર્શના, દુરિત ધ્વસિ, વંદના, વાંછીત પ્રદઃ
પૂજના પૂરક શ્રીણી, જિનઃ સાક્ષાત્ કલ્પદ્રુમઃ | ભાવાર્થઃ વીતરાગ દેવના દર્શન દૂતિનો નાશ કરે. વંદનાદિથી વાંછીતની પ્રાપ્તિ થાય, પૂજા અર્ચનાથી પુણ્યની વૃદ્ધિ થાય. ખરેખર જિનેશ્વર દેવ સાક્ષાત્ કલ્પવૃક્ષ છે.
દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની માત્ર (૧) પ્રતિમાના ભાવપૂર્વક દર્શન કરી આર્દકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. (૨) ભ. શાંતિનાથ પ્રભુની પ્રતિમાને જોઈ સ્વયંભવ બ્રાહ્મણ પ્રતિબોધ પામ્યા. (૩) ભ. શાંતિનાથ પ્રભુએ જિન પ્રતિમાના ભક્તિ યોગે ભાવથી આરાધન કરી “તીર્થકર નામકર્મ બાંધ્યું. (૪) દેવપાલ જિન પ્રતિમાના નિત્ય દર્શનના નિયમના કારણે રાજ્યનો સ્વામી થયો. (૫) સંપ્રતિ રાજાએ રાજ્ય પ્રાપ્તિના પુણ્યોદય પછી સવા લાખ જિનમંદિર બાંધ્યા, સવા કરોડ જિનપ્રતિમા ભરાવી ઉત્તમ પ્રકારે શાસન પ્રભાવના કરી. (૬) દેડકો-નંદમણિયારનો જીવ ભ. મહાવીર સ્વામીનું નામ સાંભળતા સમવસરણ તરફ ગયો પણ અશ્વના પગનીચે આવવાથી શુભ પરિણામના કારણે આયુષ્ય પૂર્ણ કરી દુર્દનાક દેવ થયો. (૭) ભ. વીરે ગૌતમ ગણધરના પ્રશ્નના જવાબમાં કહ્યું, જે સ્વશરીરે અષ્ટાપદ તીર્થની યાત્રા કરશે તે તદ્દભવ મોક્ષ ગામી સમજવો. આવા અનેક ઉદાહરણો વીતરાગ પરમાત્માના દર્શન-પૂજન-વંદનથી આત્માનો ઉદ્ધાર કરનારા છે.
લૌકીક દેવનું નામ સ્મરણ વર્તમાન ભવની આધિ વ્યાધિ માટે કદાચ ઉપયોગી થાય એમ જો સમજીશું તો લોકોતર દેવાધિદેવની આરાધના ઉપાસના સાધના જન્મ-જન્મના સુધારા માટે, સંસારના ફેરા ઘટાડવા માટે, શાશ્વત સુખના ભોક્તા બનવા માટે નિશ્વિત ઉપકારક છે. આવી શ્રદ્ધા જ અરિહંતને અરિહંત સ્વરૂપે, સિદ્ધને સિદ્ધ સ્વરૂપે ઓળખવાની તક આપે છે.
વર્તમાનમાં આપણે સૌ અરિહંત પરમાત્માની જે અંગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા આદિ કરીએ છીએ તે દ્વીઅર્થી છે. બાહ્ય રીતે વીતરાગ પ્રભુની પૂજા થાય છે ને અત્યંતર રીતે અષ્ટકર્મ નિવારણાર્થે ભાવના ભાવિએ છીએ. ભગવંતને માત્ર દર્શનની, જોવાની વિચારણા સંકુચિત છે. ભગવંતના દર્શન સમ્યગુદર્શનની