________________
તેના ઉપર પૂર્ણ વિશ્વાસ-શ્રદ્ધા રાખો તો જ તમારું કાર્ય સફળ થાય. તેજ રીતે વીતરાગી દેવના વચન જ્યારે પણ વાંચો, સાંભળો કે જુઓ ત્યારે તે હિતકારક જ છે. કલ્યાણકારી છે એમ માનો. દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ.
છેલ્લી એક શતાબ્દિથી ઘણાં અણસમજુ લોકો પોતાના વિચારો પ્રમાણે પ્રભુના ૨૫૦૦ વર્ષ પૂર્વેના ઉપદેશોમાં ફેરફાર કરવાની માંગણી કરે છે. પણ યાદ રહે કે પ્રભુના ઉપદેશીય વચન કેવળજ્ઞાનના કારણે ત્રણેય કાળમાં ત્રણે લોકમાં સત્ય જ ઠરશે. વર્તમાનમાં અલ્પજ્ઞાનીની કે મિથ્યાત્વીની બુદ્ધિ કાંઈ જ કામમાં ન આવે. દરેક વ્યક્તિ પોતાના વિચાર પ્રમાણે સુધારો કર્યા કરે તો મૂળ વાત સાવ બદલાઈ જાય અને તેથી નુકસાન ઘણું થાય. સુધારાના સુધારા કરવા પડે.
એક પિતા પોતાના પુત્રે કરેલા ચિત્રમાં ખામી દર વખતે તેના ભલા માટે બતાડતા હતા, પણ પુત્રને તે વાત ન ગમી. પિતા અનુભવી હતા. પુત્રને કહ્યું, ચિત્રને બજારમાં મૂકી જે ન ગમે ત્યાં ચોકડી કરવા બોર્ડ લગાવ્યું. પરિણામે આખું ચિત્ર ચોકડીના કારણે બગડી ગયું. બીજી વખત જે ગમે છે ત્યાં રાઈટ કરવા કહ્યું. કુદરતી રીતે તે ચિત્ર પણ બગડી ગયું. પછી પુત્રને સમજ પડી કે પિતા મને આગળ વધવા કહે છે. તેમ પ્રભુની વાણી ઉપકારક સંસાર સાગરથી તરી જવા માટે છે.
કર્મશાસ્ત્ર અનુસાર એકસરખા રૂપરંગ સ્વભાવાદિથી યુક્ત માનવી આ જગતમાં જન્મ લેતા નથી. તેમાં થોડા ઘણાં ફેરફાર હોય જ છે. તેથી મનુષ્યને જન્મ લેવાની યોની ૧૪ લાખ કહી છે. એનો અર્થ એ છે કે, જેના વર્ણ-ગંધાદિ એક સરખા હોય તેવા મનુષ્યની એક યોની, આવી ૧૪ લાખ યોનીઓ છે.
બીજી તરફ કર્મ ખપાવવા માટે જેમ દાન-શીલ-તપ-ભાવ અથવા અહિંસા, સંયમ-તપની જ્ઞાનીઓએ પ્રરૂપણા કરી છે. તેવી જ રીતે તત્વાર્થાધિગમ સૂત્રમાં સમ્યગુદર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષમાર્ગ બતાડ્યો છે. એનો સાર એ જ કે કર્મના કારણે કેટલાક આત્મા દર્શનની, કેટલાક આત્મા જ્ઞાનની, ચારિત્ર કે તપના આલંબનથી સુવિશુદ્ધ આરાધના કરી બાંધેલા કર્મનો ક્ષય કરી મોક્ષ જાય છે, જઈ શકે છે. માત્ર આરાધનામાં શ્રદ્ધા સ્થિર જોઈએ. શાસ્ત્રમાં આ જ વાત માટે ટંકશાળી વચનો – “આણાએ ધમો', “જયણાએ ધર્મ”, “ઉપયોગે ધર્મ', “વસ્તુ સહાવો ધમો” નજર સામે રાખવા જેવા છે.
એક વાત નક્કી છે કે કર્મના બંધ પછી કાળક્રમે ઉદય હોય. જેવા કર્મનો