________________
પ્રગટ થાય તો કાળક્રમે આરાધક આરાધનાના સહારે કર્મરહિત થવાનો અધિકાર પ્રાપ્ત કરે. વિચાર શુદ્ધિ-પરિણામ શુદ્ધિ અપાવે.
આરાધના લગભગ ક્રિયા, વિધિમાર્ગથી ચાલુ થાય છે. તેમાં ષોડશક ચિત્તદોષાષ્ટક ગ્રંથમાં કહ્યા પ્રમાણે – ૧. ખેદ, ૨. ઉદ્વેગ, ૩. ક્ષેપ, ૪. ઉત્થાન, ૫. ભ્રાંતિ, ૬. અન્યમુદ્દ, ૭. રોગ (રાગ), ૮. આસંગ. એ આઠ દોષ વર્જવાના હોય છે. ટૂંકમાં આરાધના-ક્રિયા કરતી વખતે મનની એકાગ્રતા જોઈએ. બોલવામાં આવતાં સૂત્રોનું અર્થ-ચિંતન જોઈએ અને વ્યક્ત કરવામાં આવતી વિચારધારાને અનુકૂળ ભાવના હોવી જોઈએ. સૂત્ર-ક્રિયા પોપટની જેમ નિરસતાથી ભાવ વગરની કરવામાં આવે તો એ નિરર્થક છે.
મયણાસુંદરીએ મન-વચન-કાયાની એકાગ્રતાથી પૂજા કરી હતી. એ અમૃતક્રિયા હતી . તેથી તરત જ તેનો અનુભવ તેને થયો. રસોઈ વ્યવસ્થિત કરવામાં આવેતો ખાવી ભાવે. પચે ને રૂચે તેમ ક્રિયાનું ફળ અનુભવી શકાય છે.
છાશ વલોવવાની ક્રિયામાં દહી-પાણીનું મિશ્રણ અત્યંત આવશ્યક છે. માત્ર પાણી વલોવવાથી કોઈ દિવસ માખણ ફળ સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. માટીવાળી જમીન ઉપર જો કોઈ લીંપણ કરે તો શું એ કામ આવે ? તેથી ક્રિયા રુચિવાળીસમજવાળી-ભાવપૂર્વકની થવી જોઈએ.
આખા દિવસમાં પ્રાયઃ ૬/૭ વખત વસ્ત્ર બદલાની પદ્ધતિ સામાન્ય રીતે દેખાય છે. જેમકે-૧. પૂજાના, ૨. સામાયિકના, ૩. બહાર શુભ પ્રસંગે જવાના, ૪. બહાર અશુભ પ્રસંગે જવાના, ૫. બહાર દુકાન-ઓફીસ વિ. માં જવાના, ૬. ઘરમાં પહેરવાના, ૭. રાત્રીના તથા અન્ય કાર્ય માટે પહેરવાના-આનું મુખ્ય કારણ વસ્ત્ર પણ મનને પ્રસન્ન કરે છે. વસ્ત્રની ક્રિયામાં અસર થાય છે.
જેમ વસ્ત્ર પહેરતી વખતે તેની સાથે તેનો ઉદ્દેશ્ય છૂપાયેલ છે. તેમ ક્રિયા સાથે પણ અનેક ભાવના છૂપાયેલી છે. ઉદા. પ્રભુભક્તિ, ગુરુવંદન, વ્યાખ્યાન શ્રવણ, જ્ઞાન આરાધન, તપારાધન, પ્રતિક્રમણ, સ્વાધ્યાન, ચારિત્ર આરાધન વગેરે. આ ક્રિયાઓ કરતી વખતે આરાધકે તે તે પ્રકારની વિધિ શુભભાવે કરવાનો આગ્રહ રાખવો જોઈએ. તેવા સૂત્રો પણ ભાવ સાથે બોલવા જોઈએ.
એક કવિએ કહ્યું છે :