________________
(૧૩) સૂત્ર - ૨:-પમું જીવદ્રવ્ય
- ૭૧
આધુનિક વિજ્ઞાનના વર્ણનો કરતાં બહુ આગવી રીતે દ્રવ્યો-ગુણો અને પર્યાયોનું વર્ગીકરણ કરેલું છે. પૂર્વેના સૂત્રોમાં ૪ દ્રવ્યોનું વર્ણન કરી આ બીજા સૂત્રમાં જીવદ્રવ્યને જણાવ્યુ છે. જીવ પદાર્થનું અસ્તિત્ત્વ - જીવના ૮ ગુણો : -
૪ દ્રવ્ય ઉપરાંત, જીવ પણ એક સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું દ્રવ્ય છે. જૈન તત્ત્વજ્ઞાનમાં જીવદ્રવ્યના આઠ ગુણો બતાવવામાં આવ્યા છે. તે આઠ ગુણો, આઠ કર્મના ક્ષયથી ઉત્પન્ન થાય છે. ૪ મૂળગુણ, અને ૪ ગૌણપણે, જીવદ્રવ્યમાં કાયમી રહેલા હોય છે. ૪ મૂળગૂણો અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય. તેમજ બીજા ૪ આ છે. અવ્યાબાધાપણું (પીડાનો અભાવ), અક્ષય સ્થિતિ (જન્મ - મરણનો અભાવ), અરૂપી પણું શરીર અને કર્મ જે ભૌતિક પદાર્થ છે (મૂર્ત - રૂપી છે, તેની સાથેના સંબંધનો અભાવ), અને અગુરુલધુપણું (સંસારના ઉચ્ચનીચના ભેદભાવનો કે ભારે હલકાપણાંનો અભાવ).
આ જીવદ્રવ્યના કાયમ સાથે રહેનારા ગુણો છે. પરંતુ સંસારી જીવને વિવિધ પ્રકારના કર્મપુદ્ગલના સંબંધને કારણે, તેના ૮ ગુણોપર આવરણ આવી જવાથી દબાઈ ગયા છે. ઢંકાઈ ગયા છે કે વિકૃત થયેલા છે. જીવનો કર્મયુગલો સાથેનો સંબંધનો વિયોગ થતાં મોક્ષમાં તે આઠેય ગુણો પૂર્ણ કક્ષાએ પ્રગટેલા હોય છે. સંસારી અવસ્થામાં પણ આઠેય ગુણો અલ્પ કે અધિક માત્રામાં અવશ્ય હોય છે. કર્મના વિયોગથી તે પરિપૂર્ણ અને મૂળ સ્વાભાવિક સ્વરૂપમાં પ્રગટે છે. જીવના વિવિધ પર્યાયો -
જન્મ, મરણ, રોગ, શોક, જ્ઞાની – અજ્ઞાની, દેવ, મનુષ્ય, પશુ, નરક, રાજા, રંક, બાળ, યુવાન, વૃદ્ધ આ સર્વે અવસ્થાઓ, સંસારી જીવના પર્યાયો, (અવસ્થાઓ) છે. જે ક્રમસર બદલાયા કરે છે.