________________
૭૨
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા (મોક્ષના) જીવોમાં પણ સૂક્ષ્મ પર્યાયો બદલાયા કરે છે - આ રીતે જીવદ્રવ્ય પણ ગુણ અને પર્યાય ધરાવે છે. કર્મમુક્ત થયેલા મોક્ષના જીવોમાં જન્મ, મરણાદિ ચૂલ પર્યાયો નથી. તેમ છતાં જ્ઞાનનો ઉપયોગ, અને દર્શનનો ઉપયોગ વિગેરે, સૂક્ષ્મ પર્યાયો ક્રમસર બદલાયા કરે છે. તેને આ રીતે સમજી શકાય. (જુઓ પૃ. ૩૭૧-૩૭૨)
શ્રી સિદ્ધ પરમાત્માઓ કોઈ એક વર્તમાન સમયે વર્તતા હોય ત્યારે, વર્તમાન એક સમયને, વર્તમાન રૂપે જાણે છે, થઈ ગયેલા ભૂતકાળને, ભૂતકાળ રૂપે જાણે છે. થનાર ભવિષ્યકાળને ભવિષ્ય રૂપે જાણે છે, અને જુએ છે. તે વર્તમાન સમય વીતી જતાં, (પસાર થઈ જતાં) પછીના સમયમાં વર્તતા હોય ત્યારે, વીતી ગયેલા પૂર્વના તે જ સમયને ભૂતકાળરૂપે અને (જેને ભવિષ્યકાળ તરીકે જોતા હતા તેમાંના એક સમય પછીના) ભવિષ્યના સમયને વર્તમાન રૂપે જાણે છે, (જ્ઞાન) અને જૂએ (દર્શન) છે. આ રીતે ક્રમસર ભૂત, ભવિષ્ય, વર્તમાનમાં ફેરફાર થયા કરે છે. (ટૂંકમાં કહીએ તો ભવિષ્યને વર્તમાન રૂપે, વર્તમાનને ભૂતકાળરૂપે, અને ભૂતકાળને વધુ દૂરના ભૂતકાળરૂપે-આ રીતે કાળને સતત પરાવર્તન પામતો જુએ છે. આ રીતે વિશ્વમાં વર્તતા સઘળા પદાર્થોને પણ તે તે કાળમાં પરિવર્તન પામતા જુએ છે.) તે સૂકમપર્યાય પણ ક્રમસર બદલાયા કરે છે. આ રીતે સંસારી અને મોક્ષના સર્વ જીવો, જીવદ્રવ્ય રૂપે સદા અસ્તિત્વમાં રહેવા સાથે, ગુણ અને પર્યાયનું પરિવર્તન પામે છે. આ રીતે સઘળાં જીવદ્રવ્યોમાં ઉત્પત્તિ નાશ અને સ્થિતિ આ ત્રિપદી ઘટે છે.
-> ધન કરતાં જ્ઞાન એટલા માટે મહાન છે કે, ધનની રક્ષા તમારે કરવી
પડે છે, જ્યારે જ્ઞાન તમારી રક્ષા કરે છે. – મૃત્યુને મટાડી શકાતું નથી, એનો અફસોસ શા માટે? મૃત્યુને સુધારી
શકાય છે, એ કેટલું મોટું આશ્વાસન છે.