________________
૭૦
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન રહેલા ગુણો ઉત્પન્ન થાય છે, અમુકકાલ સ્થિર રહે છે, અને ત્યાં જ વિલીન થાય છે. ગુણ અને પર્યાયની વિશેષતા -
सहभाविनो गुणाः ।
અર્થ - દ્રવ્યની સાથે સદા જે અવશ્ય હોય જ તેને ગુણો કહેવાય છે. અસ્તિત્ત્વ, મૂર્તત્વ, અજીવત્વ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ, આકાર વિગેરે પુદ્ગલના ગુણો છે. તે હંમેશા પુદ્ગલ દ્રવ્યની સાથે જ વર્તતા હોય છે. ગુણો વિનાના દ્રવ્યો કયારેય હોતા નથી અથવા ગુણો, દ્રવ્યો વિના કોઈ આધારમાં રહેતા નથી. તેઓ કયારેય જુદા પાડી શકાય તેમ નથી. દા.ત. કોઈપણ પુદ્ગલમાં વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાન (આકાર) આ પાંચગુણ અવશ્ય હોય જ. વર્ણના કાળો, સફેદ વિગેરે પાંચ (પર્યાયો)માંથી કોઈપણ બદલાયા કરે, પણ કોઈપણ એક વર્ણ (રંગ) ગુણ અવશ્ય હોય જ તે જ રીતે રસ, સ્પર્ધાદિમાં સમજવું.
क्रमभाविनो पर्यायाः।
અર્થ - ક્રમસર બદલાયા કરે તે પર્યાયો કહેવાય છે. ગુણના પેટભેદ, તે પર્યાયો છે. જેમકે , ઉપર જોયું તેમ, વર્ણના શુકલાદિ પાંચ ભેદ છે. આ પાંચ ભેદ તે દ્રવ્યના પર્યાયો છે. શુકલ વર્ણ બદલાઈને કૃષ્ણાદિ થઈ જાય છે. સુગંધ બદલાઈને દુર્ગધ થઈ જાય છે. શરીરપરનું અત્તર પરસેવા અને મેલ સાથે મળી થોડીવારમાં દુર્ગધી બની જાય છે, આ પર્યાય (અવસ્થા) બદલાયો, પણ ગંધગુણ તો કાયમ રહ્યો. તે જ રીતે રસાદિગુણોમાં તીખો, ગળ્યો આદિ પર્યાયો સમજવા. આ મુજબ ગુણ, એ દ્રવ્યની સાથે હંમેશા સ્થિર રહે, પણ પર્યાયો ક્રમભાવિ એટલે ક્રમસર થયા કરતા હોય છે. આ ગ્રંથના સૂત્ર -૩૭ પૃ. ૩૨૮માં પણ આ જ વાત જણાવી છે.