________________
(૧૩) સૂત્ર - ૨ :- ૫મું જીવદ્રવ્ય
कलापपरिणामयोनित्वात्
અર્થ : દેશ, અને કાલના ક્રમને કારણે પ્રગટ થતા ભેદોની સમરસ અવસ્થારૂપ દ્રવ્યો છે. વર્ણ, રસ, ગંધ, સ્પર્શાદિ ગુણો અને જૂનું નવું વિગેરે પર્યાયોસ્વરૂપ પરિણામો દ્રવ્યરૂપ આધારમાં પ્રગટ થાય છે.
૬૯
આ ખૂબ સુંદર નિરૂપણ છે. દ્રવ્ય (વસ્તુમાત્ર)નું વ્યાપક રીતે સ્વરૂપ બતાવી જાય છે. દ્રવ્ય રૂપ આધારમાં, ગુણો અને પર્યાયો ઉત્પન્ન થાય છે. દા.ત. ઘટરૂપ દ્રવ્યમાં ઘટાવીએ તો, જ્યારે ઘડો કાચો હોય ત્યારે કૃષ્ણવર્ણના ગુણવાળો હોય છે. એટલે કે તે ઘડો, તે દેશ (સ્થળ)માં કાળા વર્ણને ધારણ કરનારો હોય છે. હવે તે ઘડો, તે દેશ (સ્થળ)થી અન્ય નિભાડાના (દેશ) સ્થળમાં લઈ જઈ પકવામાં આવે ત્યારે, થોડા કાળપછી કાળોવર્ણ નાશ પામી લાલવર્ણ ઉત્પન્ન થાય છે, તેમજ તે પૂર્વે કાચો (પાણી ભરવા માટે અયોગ્ય પર્યાયવાળો) હતો. તે નિભાડામાં પકાવ્યા પછી પાકો (મજૂબત પાણી ભરવાને યોગ્ય પર્યાયવાળો) બને છે. આ રીતે તે તે દેશ, કાળ અને ક્રમ મુજબ, ઘડારૂપ દ્રવ્યના આધારમાં જુદા જુદા વર્ણાદિ ગુણો અને પર્યાયો (કાચો, પાકો, જુનો, નવો, વિગેરે વિકાર, કે અવસ્થાઓ) પ્રગટે છે.
આ મુજબ કોઈપણ દ્રવ્ય સ્થિર રહે છે અને તેના આધારે ગુણો અને પર્યાયો પ્રગટે છે. આ રીતે સર્વવસ્તુઓ પૃથ્વી, પાણી, હવા, માટી, લોખંડ, પત્થર, સોનું, મકાન, જીવોના શરીરો આદિ સર્વે દ્રવ્યોમાં તે તે દેશ, કાળ અને ક્રમ મુજબ વર્ણાદિ ગુણો અને જુદી જુદી અવસ્થારૂપ પર્યાયો પ્રગટે છે. માટીમાંથી મકાન બને, અનાજમાંથી રસોઈ બને, લોખંડમાંથી ઓજારો બને ઇત્યાદિ, દ્રવ્યોના આધારે ગુણો અને પર્યાયો પ્રગટતા હોય છે.
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે
મુળાાં આસનો દ્દવ્યં અર્થ : ગુણોનો આશ્રય દ્રવ્ય છે. અર્થાત્ જ્યાં