________________
૬૫
(૧૨) સૂત્ર - ૧ - ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય. પદાર્થમાં રૂપાંતર પામે છે. પાણીમાંથી વરાળ થઈ, જે સૂક્ષ્મબિંદુઓના ભેજસ્વરૂપે હવામાં હોય જ છે, તે ભેજ સ્વરૂપમાંથી શોષાઈને રૂપાંતર પામ્યા કરે છે. વાતાવરણમાં આવી પ્રક્રિયાઓ સતત ચાલતી હોય છે. દા.ત. માટીમાંથી ઘાસ બન્યુ. ઘાસનો કેટલોક અંશ ગાયના ખોરાક દ્વારા દૂધમાં રૂપાંતરિત થયો. તેમાંથી ક્રમસર દહીં, ઘી વિગેરે બન્યા. તે પણ મનુષ્યના ખોરાકમાં આવ્યા. કેટલાક અંશ વિષ્ટારૂપે થઈ પાછો માટીમાં ભળી ગયો. બાકીનો અંશ શરીરમાં લોહી, માંસ વિગેરે થઈ જીવનશકિતમાં વપરાઈને સૂક્ષ્મ પરમાણુંઓ (ગરમી વિગેરે) રૂપે વિખરાઈ રૂપાંતરો પામી માટીમાં ભળી ગયો. આ રીતે ઊંડાણથી વિચારતાં દરેક ભૌતિકપદાર્થમાં આ ચક્ર ચાલ્યા કરે છે. વિજ્ઞાનમાં નાઇટ્રોજન ચક્ર પ્રસિદ્ધ છે. ઊર્જાને વજન છે?:
વૈજ્ઞાનિક ન્યૂટન, અને ગેલેલિયો ઊર્જાને એકદમ વજન રહિત, અને પુદ્ગલ સાથેના કોઈપણ સંબંધ વિનાનું માનતા હતા. પરંતુ આઈન્સ્ટાઇનની સાપેક્ષવાદના સિદ્ધાંત મુજબ ઉર્જા તે વજન વિનાની નથી, કારણકે તેને ચોક્કસ જથ્થો છે. ૧ ગ્રામપિંડમાં ૯ × ૧૦૦ergs જેટલી ઉર્જા વિજ્ઞાન માને છે. આટલી ઉર્જા રૂપાંતરિત સ્વરૂપમાં પ્રગટ મેળવવી હોય તો ૩000 ટન કોલસો બાળવો પડે. અથવા ૧૦૦૦ ટન પાણીને સંપૂર્ણ ગરમ કરી વરાળ બનાવવા માટે જેટલી ઉર્જા જોઈએ તે ઉર્જા, ૧ ગ્રામના ૩૦મા ભાગ (૧/૩૦ ગ્રામ)ના પિંડથી વધારે નથી. આનું કારણ એ છે કે, પુદ્ગલ પદાર્થમાંથી આટલી ઉર્જા મેળવવાની એવી કોઈ પ્રક્રિયા કે સાધન નથી.
તાત્પર્ય એ છે કે જો તમે ૧/૩૦ ગ્રામ જેટલા પુગલપદાર્થ (કોલસો) ને સંપૂર્ણ ગરમીની ઉર્જામાં રૂપાંતરિત કરી શકો તો ૧૦૦૦ ટન પાણીની વરાળ બનાવી શકો. પરંતુ તે શક્ય બનતું નથી. પિંડમાંથી બહુ