________________
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
અલ્પપ્રમાણમાં જ તમે ઉર્જા મેળવી શકો છો. એટલે હવે સમજી શકાશે કે ઉર્જાને વજન છે ? તેનો ઉત્તર એ જ કે - છે, પણ બહુ અલ્પ પ્રમાણમાં છે.' સૂર્યના કિરણપાતનની ઉર્જા પણ ચોક્કસ જથ્થો દર્શાવે છે. ઉર્જાના લાખો ટન દરેક સેકંડે વિશ્વમાં ફેલાઈ રહ્યા છે, પ્રસરી રહ્યા છે. પ્રકાશને વજન છે ? :
-
૬૬
જ્યારે એક માણસ બંદુક વડે ગોળીબાર કરે ત્યારે તે પ્રત્યાઘાત અનુભવે છે. પ્રકાશ જે વસ્તુમાંથી નીકળે છે તે વસ્તુ પણ પ્રત્યાઘાત અનુભવે છે. દા.ત. સર્ચલાઈટ ઉપર ઢાંકણ રાખી એકદમ ખોલીશું તો પ્રકાશનું તેજ બહાર ધસી આવશે. ત્યારે તે સર્ચલાઈટ સૂક્ષ્મ પ્રત્યાઘાત અનુભવે છે. જો કે તે પ્રકાશ, ગોળીબાર જેવો નથી પણ, સતત પ્રવાહ છે તેથી એકદમ ધક્કો આપતું નથી, પરંતુ આ પ્રાયોગિક સત્ય છે (રેસ્ટલેશ યુનિવર્સ પેજ ૩૮૪) ઉર્જા = પિંડ × પ્રકાશની ગતિ. પિંડ તે ઉર્જાનું સ્થાન – આધાર છે. ફક્ત ઉર્જાને પિંડ છે તેમ નહિં. ઉલટું દરેક પિંડને ઉર્જા છે. તાત્પર્ય એ કે, ઉર્જા અને પિંડ વચ્ચેનો ફરક દૂર થયો. દરેક પિંડ, ઉર્જાનો ગંજાવર સંગ્રહ છે, અને દરેક ઉર્જા પિંડ ધરાવે છે, જોકે ઘણો થોડો. રેસ્ટલેસ યુનિવર્સના કર્તા પ્રોફે. મેક્સબોર્ન કહે છે “આ (સાપેક્ષવાદ) ના સિદ્ધાંત પ્રમાણે પિંડ અને ઉર્જા મૂળભૂત રીતે એક છે. ’’ આનો અર્થ એ થયો કે પુદ્ગલ અને ઊર્જામાં સ્વરૂપ સિવાય કોઈ ભેદ નથી. આ સત્ય સદીઓથી જૈનશાસ્ત્રોમાં છે.
-
આ સધળી વાતો જોતાં જૈનમત મુજબ પુદ્ગલની સતત પૂરણ અને ગલન (વિખરાવું)ની વ્યાખ્યા કેટલી ગહન વિચારપૂર્વકની છે, તેમજ પિંડ અને ઉર્જા વિષે જે વૈજ્ઞાનિકોએ જણાવ્યું તે સઘળું ત્રિપદીને બિલકુલ અનુસરતું છે, તે જણાયા વિના નહી રહે. જૈન તત્ત્વજ્ઞાન તો ભૌતિક(પુદ્ગલ) પદાર્થમાં જ માત્ર નહિ પણ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશ,