________________
૫૩
(૧૦) સૂત્ર-૧-ચાર અજીવકાય. ૪થું પુદ્ગલ દ્રવ્ય વિના સંકોચનાદિ પામ્યા વિના) એક બીજામાં અંત:પ્રવેશ પામીને એક સ્થાનમાં અવસ્થાન કરવાના એક વિશિષ્ટગુણધર્મને ધરાવે છે. આ વાતને આપણા લોક વ્યવહારમાં આવતા દષ્ટાંતથી સમજાવ્યું છે કે, અતિઘન એવા લોખંડના ટુકડાથી વ્યાપ્ત આકાશના દેશમાં અગ્નિનાં અણુઓ પ્રવેશ પામી જાય. છિદ્ર રહિત એવા તપાવેલા લોખંડમાં પાણીના અણુઓ પણ પ્રવેશ પામી જાય છે. તેથી જ લોખંડ ગરમ અને ઠંડુ બને છે. આ રીતે આકાશ દુર્ભર છે, અને પરમાણુંઓની એક વિશિષ્ટ શકિત છે તેમાં કોઈ શંકા નથી. અથવા પ્રજવલિત એવા દીપકના પ્રકાશથી ભરેલા ઓરડામાં બીજા સો દીપકનો પ્રકાશ પણ અંદર અંત:પ્રવેશ પામીને સમાઈ જાય
પુદ્ગલ (ભૌતિક) પદાર્થના સ્કંધો (molecules).પણ અદશ્ય અને વજન રહિત અવસ્થા પામી શકે -
એક આકાશ પ્રદેશમાં અનંતા પરમાણુંઓ પણ સમાઈ જાય છે, તે જોયું. માત્ર આટલું જ નહિ પણ અનંતા પરમાણુંઓના બનેલા સ્કંધોમાં પણ સૂક્ષ્મપરિણામ પામવાની શક્તિ રહેલી છે. તેથી તેવા સ્કંધો પણ એક આકાશ પ્રદેશમાં સમાઈ જાય. આનું દષ્ટાંત આપતાં શ્રી લોકપ્રકાશ ગ્રંથમાં જણાવ્યું છે.
विशत्यौषधसामर्थ्यात् पारदस्यैककर्षके, सुवर्णस्यकर्षशतं, तौल्ये कर्षाधिकं न तत् । पुनरौषधसामर्थ्यात्तद्वयं जायते पृथक्,
सुवर्णस्य कर्षशतं पारदस्यैककर्षकः ॥ અર્થ - ઔષધિના સામર્થ્યથી, એક કર્મ પ્રમાણ પારામાં, સો કર્ષ પ્રમાણ સુવર્ણ સમાય છે અને છતાં તેનું વજન એકકર્ષથી વધારે થતું નથી. વળી ઔષધિના સામર્થ્યથી જુદા પાડતાં, સોકર્ષસોનું અને ૧ કર્ષ પારો ફરી પ્રાપ્ત થાય છે.