________________
પર
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન __एकस्मिन्नेवाकाश प्रदेशेऽनन्तानामप्यवगाढत्वं, तदप्रतिघात परिणाम परिणतत्वात् ..... परमाणुरेकस्मिन् व्योमप्रदेशे व्यवस्थितोऽन्येषामपि परमाणुनां, भूयसामवगाहमानानां विघातं प्रति न निवर्तितुमुत्सहते ।
(શ્રી તત્ત્વાર્થ પ-૨૬ શ્રી સિદ્ધસેનગણિકૃતટીકા) અર્થ - એક આકાશ પ્રદેશમાં અનંતા પરમાણુંઓ પણ સમાઈ શકે, જો તેઓ અપ્રતિઘાત પરિણામને પામેલા હોય. અર્થાત્ એકબીજાનો અવરોધ ન કરે તેવા સૂમપરિણામની અવસ્થાને પામ્યા હોય તો. આથી એક આકાશપ્રદેશમાં રહેલો પરમાણું, બીજા ઘણા પરમાણુંઓને સમાવવામાં કોઈ અવરોધ કરતો નથી. આજ વાત સૂત્ર ૫-૧૪ની ટીકામાં પણ છે.
... तस्माद् परिणतिविशेष एवासौ तादृशः परमसूक्ष्मो येनानान्ता अपि परमाणवः स्कन्धीभूताः प्रदेशमेकमाश्रित्य विहायसो वर्तन्ते....
અર્થ - પરમસૂમ પરિણતિ વિશેષને કારણે એકત્રિત થયેલા અનંતા પરમાણુંઓ, એક આકાશપ્રદેશને આશ્રયીને રહે છે.
શ્રી લોકપ્રકાશ ગ્રંથમાં જણાવ્યું છે કે એક-આકાશ પ્રદેશ એક પરમાણું વડે પૂરાય, તથા બેવડે પૂરાય, તેમ તે પ્રદેશમાં સો, હજાર, યાવત્ અસંખ્યાત, કે અનંત દ્રવ્ય પણ સમાઈ જાય. તેનું કારણ બતાવતાં જણાવે છે. કે
अवगाह स्वभावादन्तरिक्षस्य तत्समम् चित्रत्वात् पुद्गलानां परिणामस्य યુમિન્ ! (શ્રી લોકપ્રકાશ સર્ગ -૨-૪૫)
અર્થ: આકાશમાં તેઓને સમાવેશ કરવાનો સ્વભાવ છે, અને પુગલ પરમાણુંઓનો એવો અદ્ભુત પરિણામ હોવાથી, તે યુક્તિમતું.
છે.
આથી એ સિદ્ધ થાય છે કે-પરમાણુંઓ પોતાનું સ્વરૂપ ગુમાવ્યા