________________
(૯) સૂત્ર - ૧ ચાર અજીવકાય. ૪થું - પુદ્ગલ દ્રવ્ય.
૪૯ સ્કંધોની ૧લી અગ્રાહય વર્ગણા કહી છે. તે પછીની બીજી ઔદારિક વર્ગણા હમણાં જણાવી. જયાં આ ઔદારિક વર્ગણા(સમજાવ્યા મુજબ ૧ લાખ) પુરી થાય છે, તે પછી પણ (દા.ત. ૧૫ થી ૨ લાખ વૈક્રિય અગ્રાહ્ય તે ૩જી. ૨ લાખથી રાા લાખ વૈક્રિય તે ૪થી, રાા લાખથી ૩ લાખ આહારક અગ્રાહ્ય તે ૫ મી. તે રીતે) આગળ આગળ અનંતગુણ પરમાણું ઓ જેમાં વધુ છે તેવા સ્કંધોવાળી બીજી અનેક વર્ગણાઓ બતાવી છે. તેવી કુલ ૨૬ વર્ગણા છે. દરેકમાં પૂર્વ કરતાં અનંતગુણ અધિક પરમાણુંઓ રહેલા છે. આ ર૬ વર્ગણાઓમાંથી રજી, ૪થી વિગેરે ૮ વર્ગણાઓ, જે નીચે ક્રમસર બતાવી છે તે ઉપયોગી છે, ઉપયોગમાં આવે છે. ઉપયોગમાં આવતી તે વર્ગણાઓ કયા કયા ઉપયોગમાં આવે છે. તે પણ બતાવ્યું છે.
પુસ્તકના શીર્ષકમાં આપેલ પ્રતિકમાં, અને અહીં આપેલા ચિત્રમાં, ક્રમસર નાની મોટી વર્ગણાનું ચિત્ર આપેલું છે, તે આ વિષયને સમજાવે છે. આ ૨૬ વર્ગણામાંથી જીવને ઉપયોગી ઔદારિક વર્ગણાથી માંડી કાર્મણવર્ગણા સુધીની ૧૬ વર્ગણાઓમાંથી રજી, ૪થી ૬ઠ્ઠી, ૮મી, ૧૦મી, ૧રમી, ૧૪મી અને ૧૬મી આ બેકી સંખ્યાવાળી ૮ વર્ગણાઓ જ ગ્રાહા (ઉપયોગી) છે. બાકીની ૧લી, ૩જી, પમી ૭મી, ૯મી, ૧૧મી, ૧૩મી, ૧૫મી, આ ૮ એકી સંખ્યાવાળી, તેમજ તે પછીની (એકીસંખ્યા અને બેકી સંખ્યાવાળી ૧૭થી ૨૬ સુધીની ૧૦, આ) બઘી જ, એમ કુલ ૧૮ વર્ગણાઓ અગ્રાહ્ય (બિન ઉપયોગી છે).
(૧) રજી ઔદારિક વર્ગણા -મનુષ્ય, પશુના શરીરો, પૃથ્વી,પાણી, માટી વિગેરે ચક્ષુથી દશ્યમાન અને કોઈપણ ઇન્દ્રિયથી જણાતી સર્વે ચીજો.
(૨) ૪થી વૈક્રિય વર્ગણા:- દેવ અને નારકના જીવોના શરીરો તેમજ લબ્ધિધારી મનુષ્યો અને લબ્ધિધારી તિર્યંચોના જીવોના વૈક્રિય શરીરો.
(૩) દફીઆહારકવર્ગણા:-૧૪પૂર્વધર મુનિજેમાંથી શરીર બનાવે છે.
(૪) ૮મી તૈજસ વર્ગણા - સર્વસંસારીજીવોની સાથે જોડાયેલુ અનાદિકાલીન તૈજસ શરીર(ORA) અગ્નિ આદિ.
ને ૧૯મી થી. ૩જી ,
મજ તે પછી