________________
४८
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન પુલ પદાર્થના સ્કંધોનું વર્ગીકરણ - ૮ વર્ગણા:
૧ ઔદારિક ૨ વૈક્રિય ૩ આહારક ૪ તૈજસ ૫ ભાષા + પાસો. 8 મત૮ કર્મ
જૈન શાસ્ત્રોમાં પુદ્ગલ પદાર્થના બહુ મહત્ત્વના, અત્યંત મુખ્ય ૮ વિભાગો બતાવ્યા છે, તેને ૮ વર્ગણા કહેવાય છે. આ ૮ વર્ગણાને ટૂંકમાં સરળતાથી આ રીતે સમજાવી શકાય. વિશ્વમાં એકલા છૂટા સ્વતંત્ર પરમાણુંઓ અનંતની સંખ્યામાં છે. બે પરમાણુંઓ સંયોજાઈને દ્વયણુક બને છે. તેવા સ્વતંત્ર હયણુક પણ અનંત છે. તે જ રીતે ત્રણ પરમાણું સંયોજાઈને ચણકનો સ્કંધ બને. તેવા સ્વતંત્ર વ્યણુક પણ અનંત છે. આવી રીતે ઉત્તરોત્તર આગળ વધતાં અસંખ્યાત પરમાણુંઓ સંયોજાઈને બનેલા અસંખ્યાતાણુક સ્કંધ પણ અનંતા છે. તેમજ તે રીતે આગળ વધતાં અનંતાણુક સ્કંધ પણ અનંતા છે. આ સર્વે સ્કંધોમાં એક નિશ્ચિત મર્યાદાવાળા અનંત પરમાણું (સમજવા માટે અસત્ કલ્પનાથી ધારોકે ૧ લાખ અણુનો સ્કંધ)થી માંડીને વધતાં વધતાં અનંતગુણ અધિક, પણ અમુક નિશ્ચિત મર્યાદાવાળા અનંત પરમાણું (ધારોકે ના લાખ)નો બનેલો સ્કંધ સુધીના જે સ્કંધો હોય, તે સર્વે સ્કંધોને ઔદારિક વર્ગણા કહી છે. ઉપર સમજાવ્યા મુજબના ૧ થી ૧ાા લાખ (વાસ્તવમાં અનંત) સુધીના વ્યક્તિગત રીતે દરેક સ્કંધો પણ અનંત છે. આ ઔદારિક વર્ગણામાંથી મનુષ્ય પશુના શરીરો, માટી પથ્થર વિગેરે આપણને અત્યારે દશ્યમાન થતા સર્વે પદાર્થો ઔદારિક વર્ગણાના બનેલા છે. ઔદારિક વર્ગણા જ્યાંથી (સમજાવ્યા મુજબ ૧ લાખ પરમાણું નો સ્કંધ, જે વાસ્તવમાં અનંત છે) શરૂ થાય છે, તે પૂર્વેના ૯૯૯૯૯ પરમાણું (વાસ્તવમાં અનંત)નો બનેલો સ્કંધ અને ઘટતાં ઘટતાં ૧ પરમાણું સ્કંધ સુધીના સર્વે સ્કંધો અગ્રાહ્ય છે. એટલે કે ક્યારેય કોઈ પણ ઉપયોગમાં આવતા નથી. તેથી તે ઔદારિક પૂર્વેના