________________
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૫)૧૦મીભાષાવર્ગણાઃ-જેપુદ્ગલસ્કંધોમાંથી અવાજઉત્પન્ન થાય છે. (૬) ૧૨મી શ્વાસોચ્છ્વાસ વર્ગણા :- જેના આધારે મનુષ્ય વનસ્પતિ, પૃથ્વી, પાણી આદિ સર્વેજીવો સૂક્ષ્મશ્વાસોચ્છ્વાસ કરે છે.
(૭) ૧૪મી મનવર્ગણા :- સંજ્ઞી પંચેન્દ્રિય જીવો જે પુદ્ગલના સ્કંધોનું આલંબન લઈ વિચારવાની ક્રિયા કરે છે.
(૮) ૧૬મી કાર્મણ વર્ગણા :- દરેક સંસારી જીવની શુભાશુભ પ્રવૃતિને કારણે આત્મા સાથે ક્ષીરનીર જેમ બંધાતા કર્મો. આ કર્મો આત્માની સાથે બંધાયા પછી ૮ કર્મના વિભાગમાં વહેંચાઈ જાય છે. તે પણ અનાદિ કાલીન છે.
આ વર્ગણાઓમાં સમજવા જેવી અને આશ્ચર્યકારી વિશેષતા એ છે કે :- આગળ-આગળની ૨જી, ૩જી વિગેરે વધુ વધુ ૫૨માણુંઓના સ્કંધોવાળી છે, આ વર્ગણાઓમાં પૂર્વની વર્ગણા કરતાં વધુ વધુ ૫૨માણુંઓ હોવા છતાં, તે સૂક્ષ્મ છે, અને વજનમાં હલકી છે. તે વર્ગણાઓની પૂર્વની વર્ગણાઓ ઓછા ઓછા પરમાણુંઓના સ્કંધોવાળી હોવા છતાં સ્કૂલ, અને વજનમાં ભારે હોય છે. (જુઓ ચિત્ર)
૫૦
સૂરિ રામની એવી વાણી, જૈન તત્ત્વજ્ઞાનની લ્હાણી
મોહમદારી આપણે માંકડા ઃ- મોહને કહયાગરુ માંકડુ મળી જાય તો એ એને છોડવા રાજી ન હોય. એમ મોહને આપણે કહયાગરા -નોકર જેવા મળી ગયા છીએ, એથી આપણે ધર્મ કરતા થઈએ અને તેની પકડમાંથી છટકીન જઈએ, એ માટે એ મોહ ઘણો સાવધ રહે છે. આપણે ધર્મ કરવાના આગ્રહી બનીએ, ત્યારે તો એની સાવધાની ઓર વધી જાય છે. અને છેવટે ધર્મકરવાની રજા આપવી પડે એમ હોય, તો એ મોહ સંસારના આશયથી ધર્મ કરવાની રજા આપીને, પોતાના સકંજામાંથી આપણે છટકી ન જઈએ, એની પુરી ૨મત રમી જાય છે આ રમત જે સમજી જાય, એ જ મોહની પકડમાંથી છટકી શકે અને આત્માકલ્યાણ સાધી શકે.