________________
જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન
અનુભવ કરાવે છે. જ્યારે ઘર પડી જાય, દિવાલો કાઢી નાખો ત્યારે, તે જ આકાશ આપણને કંઈ જુદુ જ લાગે છે. ખુલ્લા આકાશમાં તંબૂબાંધી ડેકોરેશન કરવામાં આવે, અને બીજા દિવસે તંબૂ છોડી દેતા, આકાશના અનુભવમાં કેવો મોટો તફાવત જણાય છે ? પરંતુ ખરેખર આકાશનું સ્થાન તો દરેક સ્થળે એકસમાન જ છે. આપણી બુદ્ધિ મુજબ આપણે તે સ્થાનમાં સારા કે ખરાબપણાનો આરોપ કરીએ છીએ. તેને સમજવા એક રમુજી પણ આશ્ચર્યકારી યહુદી લોકકથાનક છે.
૩૬
એક વણજારાની પાસે એક ગધેડો હતો, તે તેને ખૂબ જ ઉપયોગી થતો હતો. ખભો થાકી જતો તો ભાર ગધેડા પર મૂકી દેતો, અને થાકી જાય તો પોતે પણ બેસી જતો. આ રીતે ગધેડો બહુ કામમાં આવવાથી તેની સાથે તેની આત્મીયતા વધવા લાગી. વર્ષો સુધી ગધેડાની સેવા લીધી અને એકવાર ગધેડો બીમાર પડ્યો અને મૃત્યુ પામ્યો. વણજારો ભાંગી પડ્યો. તેને ગધેડો અત્યંત પ્રિય હતો, તેથી એ મર્યો ત્યાં જ દાટીને કબર જેવું બનાવ્યું. બાજુમાં રહેતો હતો અને રોજ ગધેડાને યાદ કરી થોડી વાર બેસતો. ઘણીવાર એની આંખો ભીની બની જતી, ચોધાર આંસુએ રડતો. આ જોઈને રસ્તામાં ચાલતા વટેમાર્ગુઓને આશ્ચર્ય થતું. પણ પછી ધીરે ધીરે આ ક્રમ જોઈ લોકોપણ બેસવા લાગ્યા. કોઈ પૈસાય મુકતુ. ઘણીવાર એને થતું સાચી વાત કહી દઉં પણ પૈસા મળતા હોઈ આજીવિકા ચાલતી હોવાથી, એ કશું ન બોલતો. ધીમે ધીમે વાત ફેલાવા લાગી. કોઈ સિદ્ધ પુરુષની સમાધિ છે-એમ માની લોકોના ટોળા વધવા લાગ્યા. કાળક્રમે મંદિર બન્યુ અને આશ્રમ બની ગયો. વણજારાને પણ લોકો નમવા લાગ્યા. નાળિયેર, દીવો, ભોગથી પ્રવૃતિ ધમધમતી રહેતી અને લોકો પોતાની બધી માનતાઓ પુરી કરતા. કંઈને કંઈ માંગી લેતા, સંસારી લોભથી કે દુઃખથી છૂટવાની ભાવના સિવાય કંઈ ન હતું. વાસના હોય ત્યાં ધર્મ ક્યાંથી સંભવે ? સ્થાનમાં કોઈ જ વિશેષતા ન હતી, પણ લોકોના મનની સ્વાર્થ પ્રેરિત શ્રદ્ધાથી સ્થાન વિશેષ મહિમાવાળું ગણાવા લાગ્યું. તે સ્થળનું આકાશ પહેલા પણ એજ હતું. પછી પણ એ જ