SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) સૂત્ર - ૧ - ચાર અજીવકાય. ૩જું દ્રવ્ય આકાશાસ્તિકાય હતું, અને એ જ રહેવાનું છે. તેમાં કોઈ ફરક પડતો નથી, પરંતુ વ્યક્તિના મનમાં ઉદ્ભવેલી બુદ્ધિના આરોપથી તેવા પ્રકારનો ભાસ તે વ્યક્તિને થાય છે. બુદ્ધિના આરોપ વિના મૂળભૂત દૃષ્ટિએ આકાશનું સ્વરૂપ એક સરખું જ છે. અહીં એવો પ્રશ્ન થઈ શકે કે મંદિરો, તીર્થો, સાધના ભૂમિઓ વિગેરે સ્થળો શ્રદ્ધા અને આદરભાવથી પૂજાય છે. તે સ્થળનું આકાશ પણ મૂળભૂત દૃષ્ટિએ અન્ય સ્થળના આકાશ જેવું એક સમાન જ છે, તો પછી તેમાં એવી કઈ વિશેષતા આવી જાય છે કે તે સ્થળ પવિત્ર મનાય છે? આ વાત પણ સાચી છે. મૂળભૂત દષ્ટિએ તો તે સ્થળ પણ એક જ સ્વરૂપનું હોવા છતાં (૧) મહાપુરુષોની સાધનાના પવિત્ર પરમાણુંઓથી તે સ્થળ પવિત્રિત થયેલું હોય છે. પવિત્ર પરમાણુંઓના તરંગોની અસર તે સ્થળે થાય છે. આ એક વિશેષતા છે. (૨) વળી બીજી વિશેષતાએ છે કે તે સ્થળના માધ્યમથી તે સ્થળે સાધના કરનાર પવિત્ર પુરુષો વિશેષથી સ્મૃતિપથમાં આવે છે. તે રીતે ત્યાં શ્રદ્ધા આદરભાવથી જનારને ભાવવૃદ્ધિમાં સહાયક થાય છે. ભવ્યજીવોને અધ્યાત્મમાર્ગમાં આગળ વધવા આવા સ્થળો અનન્ય સહાયક બને છે, આ તેનો મહિમા છે. (૩) ત્રીજી વિશેષતાએ છે કે-આત્મિકગુણોના રાગથી તાત્વિકદષ્ટિથી તીર્થ સ્થળોને માનવા-પૂજવા સેવવા વિગેરે પ્રશંસનીય છે. પણ જે સ્થળમાં કોઈ તત્ત્વ જ નથી, અને માત્ર સ્વાર્થ પ્રેરિત શ્રદ્ધા હોય તે પ્રશંસનીય નથી, તેને અંધશ્રદ્ધા જ માનવી. – માણસ બીજુ બધું સમજવા કરતાં સર્વપ્રથમ પોતાના સ્વભાવને સમજે. – જાતને બદલી નાખો જગત બદલાઈ જશે. – સુખભોગવવું, એ મૂડી ખાઈ જવા બરાબર છે દુઃખભોગવવું એ દેવું ચૂકવીને કરજ ઉતારવા બરાબર છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy