SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૮ જૈન તત્ત્વજ્ઞાન અને આધુનિક વિજ્ઞાન (૬૩) સૂત્ર - ૪૪ :- જીવના યોગ અને ઉપયોગ પરિણામ - જીવના જ્ઞાનગુણનું વીર્યગુણ દ્વારા પ્રવર્તન, તે ઉપયોગ છે. -- જીવ, mય (કોઈપણ પદાર્થ) ને જાણવામાં તન્મય બને, તે જ્ઞાનોપયોગ છે. - અશુદ્ધ ઉપયોગ, અને શુદ્ધ ઉપયોગ. -- ઉપયોગની શુદ્ધિ, અને સ્થિરતાની વૃદ્ધિથી, જીવ સર્વજ્ઞ અને વીતરાગ બને છે. યોજાયો નીવેષ ૪૪ અર્થ : જીવોમાં યોગ અને ઉપયોગ બે પરિણામ આદિમાન છે. રૂપી (પાંચ) અને અરૂપી (એક) એ બે પ્રકારના દ્રવ્યોમાં ક્રમસર આદિમાન અને અનાદિમાન પરિણામ સામાન્ય દૃષ્ટિકોણથી છે. વિશેષ દષ્ટિકોણથી એટલે કે આંતરિક રીતે બંનેમાં બંને પરિણામ છે. તે બતાવ્યું. હવે આ સૂત્રમાં અરૂપી દ્રવ્યો મધ્યે જીવનો આદિમાન પરિણામ યોગ અને ઉપયોગ છે, તેને સમજીએ. યોગ:- પુદ્ગલદ્રવ્યના સંબંધથી જીવમાં ઉદ્ભવતો વીર્યનો પરિણામ વિશેષ (એટલે કે જીવના વીર્યગુણની વિશિષ્ટ અવસ્થા કે રૂપાંતર કે પ્રવર્તન) જેનાથી પુદ્ગલદ્રવ્યના સંબંધ પ્રત્યે જીવ સક્રિય બને છે. તેને યોગ કહેવાય છે. ઉપયોગ :- જીવના જ્ઞાન (જાણવું) અને દર્શન (જોવું) ગુણનું વિર્યગુણ દ્વારા કોઈપણ વસ્તુને જાણવા કે જોવા માટે) થતું પ્રવર્તન (કે સક્રિયતા કે જાડાણ) તેને ઉપયોગ કહે છે.
SR No.006140
Book TitleJain Tattvagyan Ane Adhunik Vigyan
Original Sutra AuthorN/A
AuthorDivyakirtivijay
PublisherTintoi S M P Jain Sangh
Publication Year
Total Pages410
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy