________________
૩૬૯
(૬૩) સૂત્ર -૪૪:- જીવના યોગ અને ઉપયોગ પરિણામ ઉપયોગ શબ્દાર્થની સમજ - - ઉપયોગ શબ્દ, એ જૈન તત્ત્વજ્ઞાનનો પારિભાષિક શબ્દ છે. લૌકિક ભાષામાં આપણે ધ્યાન આપવું, ખ્યાલ રાખવો, એકાગ્રતા, તન્મયતા, ચિત્ત ચોંટાટવું, લક્ષ આપવું (Atiension) વિગેરે જેવા શબ્દો વાપરીએ છીએ, તે ઉપયોગને જણાવનારા છે.
શબ્દ મુજબ અર્થ કરીએ તો, ઉપ = સમીપતા કે નિકટતાથી (પદાર્થ (વસ્તુ)ને જાણવા કે જોવા તરીકેનો કે માટેનો) યોગ = જોડાણ, વ્યાપાર, ક્રિયા, સક્રિયતા તે ઉપયોગ. તાત્પર્ય કે જાણવા જોવાની ક્રિયા, કે તેમાં સક્રિયતા, તન્મયતા, તે ઉપયોગ જ્ઞાન અને દર્શન :
ઉપયોગ બે પ્રકારનો હોય છે. જ્ઞાનોપયોગ અને દર્શનોપયોગ. તેને સમજતાં પૂર્વે જ્ઞાન અને દર્શન સમજી લઈએ. સામાન્યબોધ તે દર્શન. અને વિશેષ બોધ તે જ્ઞાન, સંસારી (છબસ્થ) જીવ પાંચ ઇન્દ્રિય અને મનદ્વારા કોઈ પણ પદાર્થનો બોધ કરવા માટે પ્રવૃત્ત થાય (અથવા કોઈપણ પદાર્થ ઇન્દ્રિય સન્મુખ બને કે મનમાં આવે, ત્યારે સૌ પ્રથમ જે બોધ પ્રવર્તે તે વિશેષતાથી કે ઊંડાણથી થતો નથી. આવો પ્રારંભિક બોધ તે દર્શન. તે પછી અંતર્મુહૂર્ત (૧ મુહૂર્ત = ૪૮ મીનીટ. અંતર્મુહૂર્ત = તેની અંદરનો જે કાળ તે સઘળો)માં વિશેષતાથી બોધ થાય છે, તે જ્ઞાન. દા.ત. કોઈ વૃક્ષને જોતાં તત્કાળ “વૃક્ષ છે એટલો જ પ્રાથમિક બોધ થાય તે દર્શન. તે પછી તે વૃક્ષ આંબો કે લીમડો છે. તેના પેટા પ્રકાર ઊંચુ, વિશાળ, નાનુ વિગેરે વિગતવાર જે જે બોધ થાય તે સઘળું જ્ઞાન. આવી રીતે દરેક પદાર્થમાં સમજવું. આ રીતે હવે સમજી શકાશે કે જ્ઞાન અને દર્શન બંને બોધના જ બે પ્રકાર કે બોધની બે અવસ્થા છે.
જીવની ચેતના જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીર્ય આ ચાર પ્રકારે છે. ચારિત્ર એ આત્મિક સુખ માણવાના સ્વભાવવાળું છે. વીર્ય ગુણ, એ